ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં તેની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. હવે તે 21 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર યોજાનારી બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં જોડાશે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર બે મેચની ટેસ્ટ સીરિઝ
21 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ
રણજી ટ્રોફીની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈશાંત શર્માએ શનિવારે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે ટૂંક સમયમાં ટીમ સાથે જોડાવાનો છે. 31 વર્ષીય ઈશાંત શર્મા અરૂણ જેટલી સ્ટેડિયમમાં વિદર્ભ સામે રણજી ટ્રોફીની મેચ (19-22 જાન્યુઆરી) દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેના જમણા પગમાં ઈજા થઈ હતી અને તેને 6 સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
It was a roller coaster ride for me after the injury on my ankle on the 20th January but with the help of Ashish Kaushik I managed to pull it off! Scans were a little scary, but today I am happy that I am fit ! 🏏 Thanks Ashish Kaushik! #recoverymode#recovery#postinjurypic.twitter.com/xwNpecc0Iz
ત્યારબાદ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)ના ડિરેક્ટર સંજય ભારદ્વાજે આઈએએનએસને કહ્યું હતું કે, ઝડપી બોલર ઇશાંતને ન્યૂઝીલેન્ડ સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, કેમ કે તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
ઇશાંતને વિદર્ભની બીજી ઇનિંગ દરમિયાન પાંચમી ઓવરમાં પગમાં ઈજા થઈ હતી. ઈજાને કારણે તે મેદાન છોડી જતો રહ્યો હતો. આ પછી તેનું એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું હતું, જ્યાં રિપોર્ટમાં તેને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ભારતે ન્યૂઝીલેન્ડમાં બે મેચની ટેસ્ટ સીરઝ રમવાની છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન રમવામાં આવશે, જ્યારે બીજી મેચ 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન રમાશે.