ટીમ ઇન્ડિયાનો સીનિયર પેસર ઇશાંત શર્મા એન્કલ ઇન્જરીને કરાણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયો છે, તેને સોમવારે રણજી ટ્રોફીની મેચ દરમિયાન ઇજા થઇ હતી. દિલ્હી સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનના અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી.
શિખર ધવન પછી ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત
ન્યૂઝીલેન્ડ સામે નહી રમે ટેસ્ટ સીરિઝ
દિલ્હી માટે રમતી વખતે ઇશાંતે ફોલોથ્રૂમાં એન્કલ વળી જતા ઇજા થઇ હતી અને સપોર્ટ સ્ટાફની મદદથી ગ્રાઉન્ડની બહાર લઇ જવામાં આવ્યો હતો, તે વિદર્ભની ટીમ માટે બૉલિંગ કરી રહ્યો હતો.
DDCA ના એક અન્ય અધિકારીએ જણાવ્યુ કે, સારી વાત છે કે તે ઘૂંટીમાં કોઇ ફ્રેક્ચર નથી. જ્યારે તે હરી ફરી શકવામાં સક્ષમ થશે ત્યારે NCA જશે. જોકે BCCI તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
BCCI ના નજીકના સૂત્રોનુસાર, આ એક માપંદડ છે કારણ કે ફરીવખત તેનો MRI સ્કેન કરવામાં આવશે. દિલ્હીનો ફાસ્ટ બૉલર નવદીપ સૈની ઇશાંતની જગ્યાએ ટેસ્ટ ક્રિકેટમાં શામેલ થઇ શકે છે.
આ પહેલા ટીમ ઇન્ડિયાનો ઓપનર શિખર ધવન ન્યૂઝીલેન્ડ સામેની પાંચ T-20 મેચની સીરિઝમાંથી ખભાની ઇજાના લીધે બહાર થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુ ખાતેની ત્રીજી વનડેમાં આરોન ફિન્ચના એક શોટને રોકવા જતા ધવને કવર પોઇન્ટ પર ડાઇવ લગાવી હતી. તે દરમિયાન તેના ડાબા ખભે ઇજા થઇ હતી. તે રનચેઝ કરવા બેટિંગ માટે આવ્યો નહોતો અને રાહુલે રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયાએ અંતિમ વનડેમાં કાંગારુંને હરાવી સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી.