ભારતે બીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડને છ વિકેટે હરાવી છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી હતી પણ વિકેટકીપર ઈશાન કિશન ન તો ફિલ્ડિંગમાં કંઈ ખાસ કરી શક્યો કે ન તો તે બેટિંગમાં સારું પ્રદર્શન બતાવી શક્યો.
ગઈકાલની મેચમાં ઈશાન કિશને સૌથી વધુ નિરાશ કર્યા હતા
ટીમ ઈન્ડિયા માટે ઈશાન કિશન ચિંતાનો વિષય બની ગયો
ઈશાન બેટિંગ બાદ નબળી ફિલ્ડિંગ માટે ટીકાઓનો સામનો કરી રહ્યો છે
ગઈકાલે લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટી-20 સીરીઝની બીજી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી હતી. ભારતે બીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડને છ વિકેટે હરાવી છેલ્લી ઓવરમાં મેચ જીતી લીધી છે. ન્યુઝીલેન્ડે ભારતને જીતવા માટે 100નો ટાર્ગેટ આપ્યો હતો. જેણે ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં સૂર્યકુમારે વિનીંગ શોર્ટથી પાર કરી લીધો હતો.
.@surya_14kumar hits the winning runs as #TeamIndia secure a 6-wicket win in Lucknow & level the #INDvNZ T20I series 1️⃣-1️⃣
ટીમ ઈન્ડિયા માટે ઈશાન કિશન ચિંતાનો વિષય બની ગયો
આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે પણ 99 રનના સરળ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટોપ ઓર્ડરની હાલત લગભગ એવી જ રહી હતી જે પહેલી મેચ દરમિયાન રાંચીમાં થઈ હતી. પણ આ બધા માંથી સૌથી વધુ વિકેટકીપર ઈશાન કિશને સૌથી વધુ નિરાશ કર્યા હતા. હાલ ટીમ માટે ઈશાન કિશન ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે ઈશાન ન તો ફિલ્ડિંગમાં કંઈ ખાસ કરી શક્યો છે અને ન તો તે બેટિંગમાં સારો દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઓપનર ઇશાન કિશન 32 બોલમાં બે ચોગ્ગા ફટકારીને માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો. જો કે ઈશાને આ પહેલા પણ ચાહકોને નિરાશ કર્યા છે.
Ishan Kishan in Last 10 T20I innings
19, 4, 1, 2, 37, 10, 36, 11, 8, 3
ઈશાન કિશન સસ્તામાં આઉટ થયો હતો
ગઇકાલની મેચમાં ઈશાન સસ્તામાં આઉટ થયો કે તરત જ સોશિયલ મીડિયા તે ટ્રોલ થવાનો શરૂ થઈ ગયો હતો. હકીકતમાં ગઇકાલની મેચ ઇશાન કિશનની છેલ્લી સતત 13મી T20 મેચ હતી જેમાં તે એક પણ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે આ એ જ ઈશાન છે જેણે ગયા વર્ષના અંતમાં વનડેમાં બેવડી સદી ફટકારીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું પણ તે T20 ફોર્મેટમાં અત્યાર સુધી કોઈ ખાસ કમાલ દર્શાવી શક્યો નથી. હાલ ચાહકો તેના આંકડાઓ સામે મૂકી રહ્યા છે અને હવે એવી માંગ ઉઠાવી રહ્યા છે કે તેની જગ્યા પર હવે સંજુ સેમસનને આ ફોર્મેટમાં બોલાવવો જોઈએ.
પાંચમી ઓવરમાં રનઆઉટની તક છોડી
ગાઈકલની મેચમાં પાંચમી ઓવર દરમિયાન સુંદરે આ ઓવરનો બીજો બોલ કોન્વેને ફેંક્યો, બેટ્સમેને તેને લેગ સાઇડથી નીચે સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ થઈ શક્યો નહીં. જો કે બોલ દૂર ગયો હતો અને ઈશાન દોડવા લાગ્યો અને ફિલ્ડિંગ કરીને તેને એવો ખરાબ થ્રો ફેંક્યો હતો કે ઘણો દૂર પડી ગયો હતો. હાલ ઈશાન બેટિંગ બાદ નબળી ફિલ્ડિંગ માટે ટીકાઓનો સામનો કરી રહ્યો છે.
સૂર્યા-પંડ્યાએ મેચ જીતાવી હતી
ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 99 રન બનાવી શકી હતી અને ગઇકાલની મેચમાં અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી, 2 ઓવરમાં 7 રન આપીને 2 વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા અને કુલદીપ યાદવે એક-એક વિકેટ મેળવી હતી. લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાના ત્રણ બેટ્સમેન 14.3 ઓવરમાં માત્ર 70 રન બનાવીને આઉટ થઈ ગયા હતા અને આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવે ટીમને જીત અપાવવા માટે પહેલ કરી હતી. અલગ રીતે બેટિંગ કરતાં તેણે માત્ર 1 ફોર ફટકારી અને 31 બોલમાં અણનમ 26 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 20 બોલમાં એક ફોર સાથે અણનમ 15 રન બનાવ્યા હતા.