તમે નથી જાણતા કે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં તો સરળ પ્રક્રિયા સાથે તમે તે જાણી શકો છો, એ બાદ જો તે લિંક ન હોય તો તમે તેને આ પ્રોસેસ ફોલો કરીને લિંક કરી શકો છો.
PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
પાન-આધાર લિંક છે કે નહીં, કેવી રીતે જાણશો?
પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?
જો તમે તમારા PAN ને આધાર સાથે લિંક ન કરાવ્યું તો તમારું PAN કાર્ડ પણ નકામું થઈ જશે. આ વાત કેન્દ્ર સરકાર અને આવકવેરા વિભાગ દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે. પાનકાર્ડ એક એવો દસ્તાવેજ છે જેના વિના ઘણા કામ થઈ શકતા નથી. ખાસ કરીને રિટર્ન ફાઈલિંગ અને ઈન્કમ ટેક્સને લગતું કોઈપણ કામ પાન કાર્ડ વગર થઈ શકતું નથી.
જણાવી દઈએ કે આવકવેરા વિભાગે તાજેતરમાં ટ્વીટ કરીને માહિતી આપી છે કે જો તમે તમારા PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમે 31 માર્ચ પછી PAN કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. આ સાથે જ આધાર પાન લિંક કરવા પણ અપીલ કરી હતી.
એવામાં જો તમે નથી જાણતા કે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં તો સરળ પ્રક્રિયા સાથે તમે તે જાણી શકો છો. એ જાણી લીધા બાદ જો તે લિંક ન હોય તો તમે તેને આ પ્રોસેસ ફોલો કરીને લિંક કરી શકો છો.
પાન-આધાર લિંક છે કે નહીં, કેવી રીતે જાણશો?
- incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જાઓ
- ડાબી બાજુ `ક્વિક લિંક્સ'નો વિકલ્પ જોવા મળશે
- `ક્વિક લિંક્સ'ના વિકલ્પમાં `લિંક આધાર' પર ક્લિક કરો
- જો પાન-આધાર જોડવા અરજી આપેલી હોય તો પેજ તપાસો
- હવે આ લિંક તમને બીજા પેજ પર લઈ જશે
- અહીં પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર દાખલ કરો
- વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર સ્ટેટસ ચેક કરો
- માહિતી દાખલ કર્યા બાદ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક અંગેની માહિતી મળશે
પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?
- incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું પડશે
- `લિંક આધાર'ના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે
- `લિંક આધાર' ઉપર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે
- પેજમાં પાનકાર્ડ, આધારકાર્ડ નંબરની માહિતી પૂછવામાં આવશે
- તમામ માહિતી ભર્યા પછી તમારુ કાર્ડ લિંક થશે
- ઓનલાઈન લિંકિંગમાં કોઈ સમસ્યા હોય તો SMSથી પણ લિંકિંગ થઈ શકશે
- રજિસ્ટર્ડ નંબર પરથી UIDPN લખીને આધાર નંબર લખવો, સ્પેસ આપીને PAN નંબર લખવો
- માહિતી ભરીને તેને 567678 અથવા 56161 પર મોકલવાનો રહેશે