5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતીય રેલવેમાં ટિકિટ નિયમ શું છે ચાલો જાણીએ..
શું છે બાળકો માટે ટિકિટના નિયમ
12 વર્ષથી વધુ ઉંમરનું છે તો તેની ટિકિટ પર કોઈ છૂટ નહીં મળે
હાલ મીડિયામા એવી ઘણી ખબર વાયરલ થઈ રહી છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હવે ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે આખી ટિકિટ લેવી પડશે. જો કે આ ખબર પર પીબીઆઈએ ફેક્ટ ચેક કરીને કહ્યું હતું કે આ ખબર પૂરી રીતે સાચી નથી. એ સાથે જ રેલવેએ પણ બાળકોની ટિકિટથી લઈને જોડાયેલ નિયમોમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યા એવું સાફ કર્યું છે. બાળકો માટે ટિકિટ લેવી કે નહીં એ પૂરી રીતે વૈકલ્પિક છે. તમારે તમારા બાળકો માટે ટિકિટ લેવી છે કે નહીં એ વાત આધાર રહે છે. 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે ભારતીય રેલવેમાં ટિકિટ નિયમ શું છે ચાલો જાણીએ..
શું છે બાળકો માટે ટિકિટના નિયમ
- ભારતીય રેલ્વે નિયમ અનુસાર બર્થ કે સીટ બુક કરે છે અને બુક કરેલ સીટ પર એક જ યાત્રીને બેસવાની મંજૂરી હોય છે. જો કે 5 વર્ષનું બાળક તેના માતા-પિતા વીના ન રહી શકે એટલા માટે રેલવે એ 5 વર્ષના બાળકની ટિકિટ ન લો અને તેને સીટ પર સાથે બેસાડવાની છૂટ આપે છે. 5 વર્ષના બાળક માટે અલગથી ટિકિટ બુક કરાવીને સીટ લેવી ફરજિયાત નથી. આ છતાં પણ સુવિધા માટે કોઈ માતા-પિતા તેના 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે અલગ સીટ લેવા માંગે છે તો તે કરવી શકે છે. જો અલગ ટિકિટ બુક કરાવી તો બાળકની ઉંમર જએ કઈ પણ હશે તેને ટિકિટના પૂરા રૂપિયા ચૂકવવા પડશે. રેલવે નિયમ એમ કહે છે કે 5 વર્ષ સુધીના બાળકની અલગ ટિકિટ ન લેવી હોય તો તે તેના માતા-પિતા સાથે તેની સીટ પર બેસીને મુસાફરી કરી શકે છે.
-જો બાળક 5-12 વર્ષ સુધીનું છે તો તેની ટિકિટ લેવી ફરજિયાત છે. જો તમે અલગ બર્થ નથી મેળવવા માંગતા અને બાળકને એક સીટ પર જ બેસાડીને મુસાફરી કરાવવા માંગો છો તો તમે એ બાળકની અડધી ટિકિટ લેવી ફરજિયાત છે. જો તમે તમારા બાળક માટે એક આખી સીટની ઈચ્છો છો તો તમારે પૂરા રૂપિયા ચૂકવીને આખી ટિકિટ લેવી પડશે.
-જો તમારું બાળક 12 વર્ષથી વધુ ઉંમરનું છે તો તેની ટિકિટ પર કોઈ છૂટ નહીં મળે. સાથે જ એક બર્થ પર તેના માતા-પિતા કે પરિવાજનો સાથે બેસીને મુસાફરી પણ નહીં કરી શકે.