માત્ર કુંડળીમાં જોઇને જ રાજયોગ અને તમારી પ્રગતિ વિશેની જાણકારી પ્રગતિ મેળવી શકાય તેવું નથી હોતું હથેળી દ્વારા પણ જાણી શકાશે કે માનવીના જીવનમાં રાજયોગ છે કે નહીં. હથેળી દ્વારા એ પણ જાણકારી પ્રાપ્ત કરી શકાશે કે આવનારા સમયમાં ધનવાન બનવાના યોગ કેટલા અંશે પ્રબળ છે તો તમે પણ જાણી શકો છો કે તમારા જીવનમાં રાજયોગ છે કે નહીં...
ઉલ્લેખનીય છે કે હસ્તરેખા વિજ્ઞાનમાં હથેળીમાં રહેતા કેટલાક ચિત્રોને શુભ માનવામાં આવતા હોય છે. આ શુભ ચિહ્ન દ્વારા જ જણી શકાય છે કે માનવીના જીવનમાં રાજયોગ છે કે નહીં.
જેમ કે શનિ પર્વત પર ત્રિશૂળનું નિશાન જો આ સાથે હથેળીમાં ભાગ્ય રેખાને જો ચંદ્ર પર્વત અડીને રહેતો હોય તો રાજયોગના લક્ષણ સૂચક ગણવામાં આવે છે. અને ત્યારે જ પ્રભાવ વધી શકે છે અને માનવીના જીવનમાં રાજયોગ છે તેમ કહી શકાય. આ યોગ ધરાવનારી વ્યક્તિ સરકારી ક્ષેત્રોમાં ખાસ માન-સન્માન પ્રાપ્ત કરે છે અને ખુબ નામના પ્રાપ્ત કરે છે.
આપને જણાવી દઇએ કે હથેળીમાં હળ અથવા ખડગ અથવા તલવાર પ્રકારનો આકારને અતિશુભ માનવામાં આવે છે આ પ્રકારના નિશાનોને રાજયોગ સમકક્ષ માનવામાં આવે છે. જેની હથેળીમાં આ પ્રકારના ચિહ્ન હોય તે વ્યક્તિ ધન સંપન્ન હોય છે તેમ કહેવું ખોટું નથી.
હથેળીમાં મંગળ પર્વત ઉંચાઈ સાથે જ મષ્તિક્સ રેખા 2 ભાગમાં વહેંચાયેલી હોય અથવા આ સાથે કનિષ્ઠા આંગળી સૌથી વધારે લંબાઇ ધરાવતી હોય તો આ સંકેત રાજયોગના છે તે સ્પષ્ટ છે. આ પ્રકારના યોગ ધરાવતી વ્યક્તિ સરકારી ક્ષેત્રમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરી શકે છે. અને ભવિષ્યમાં પણ ધનસંપદા પ્રાપ્ત કરે છે.
જે વ્યક્તિની હથેળીમાં અનામિકા આંગળી પાસેથી પસાર થતી હોય અને મસ્તિષ્ક રેખાને મળેલી હોય તો કનિષ્ઠા આંગળી લાંબી હોય તો આ પ્રકારની વ્યક્તિ રાજયોગ ઉભો કરે છે અને આ પ્રકારની વ્યક્તિ સરકારી પ્રશાસનમાં વધારે લાભ મેળવે છે.
પોતાની હથેળીમાં અનામિકા આંગળી પાસેથી જે રેખા પસાર થતી હોય અને મસ્તિષ્ક રેખા સહેજ જુકીને ગુરૂ પર્વત પર આવે તો આપે સમજી જવું જોઇએ કે તે રાજાનું સુખ પ્રાપ્ત કરી શકે છે.આ વ્યક્તિ રાજનીતિ સફળ થાય છે.
જો તમારી હથેળીમાં ગુરૂ અને સુર્ય પર્વત ઉંચો હોય સાથે ભાગ્ય રેખા અને બુધ રેખા સ્પષ્ટ અને સીધી હોય તો રાજયોગનો સ્પષ્ટ સંકેત છે આવા યોગમાં વ્યક્તિ સમાજમાં યશ-કિર્તી પામી શકે છે. અને નોકરીના સ્થળે ઉચ્ચપદ પણ પ્રાપ્ત કરી શકે છે. હથેળીમાં માછલીનું નિશાન રાજયોગ પમાડે છે. છત્રી અને મંદિરનું ચિહ્ન શુભદાયી છે.