આજથી ગુજરાતમાં તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. સ્વાભાવિક રીતે વાલીઓને ઘણા પ્રશ્નો મૂંઝવતા હશે. જાણો તમારા તમામ સવાલોના જવાબ અહીં
આજથી રાજ્યમાં વેકસીનેશનનો પ્રારંભ
કઈ રીતે કરાવી શકાય વેકસીનેશન?
વેકસીનેશનને લગતા તમામ સવાલોના જવાબ
આજથી ગુજરાત સહિત રાજ્યોમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે. CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરન ખાતે કોબાની જી.ડી.એમ કોનાવાલા હાઇસ્કૂલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આ ઉપરાંત જેમને અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા છે. તો બાળકના વાલી આધાર કાર્ડ અથવા તો બાળકની સ્કૂલના ઓળખપત્ર દ્વારા કોવિડ રસીકરણનો સંતાનોને લાભ અપાવી શકશે.
કઈ ઉંમરમાં બાળકોએ લેવી જોઈએ વેક્સીન?
દેશમાં હાલ 15થી 18 વર્ષના તરૂણોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી રહી છે. તેનાથી નાની ઉંમરના બાળકોની વેક્સીનેશન પર સરકારે નિર્ણય નથી લીધો.
કોવેક્સીન 12થી 18 વર્ષના તરૂણોને આપવાની મંજૂરી મળી ગઈ છે?
ડ્રગ્સ કંટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સીનને 12થી 18 વર્ષની ઉંમરના તરૂણો પર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ભલે આપી દેવામાં આવી છે પરંતુ સરકારે હજુ પણ 15થી 18 વર્ષના તરૂણોનું વેક્સીનેશન જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વેક્સીન લેવા માટે શું કરવું પડશે?
વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. વેક્સીનેશન માટે બનાવવામાં આવેલા CoWin પ્લેટફોર્મથી તેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવી શકે છે. બાળકોના વેક્સીનેશન માટે રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે. તેની જાણકારી સરકારની તરફથી નથી આપવામાં આવી.
રજિસ્ટ્રેશન માટે શું કરવું પડશે?
સૌથી પહેલા gov.in વેબસાઈટ પર જાવ
જો તમે કોવિન પર રજિસ્ટર્ડ નથી તો પહેલા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે
અહીં તમારે બાળકોનું નામ, ઉંમર જેવી કેટલીક માહિતી આપવાની રહેશે
રજિસ્ટ્રેશન પુરુ થયા બાદ પોતાના મોબાઈલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે.
એ બાદ તમે વિસ્તારનો પિન કોર્ડ નાંખો
તમારી સામે રસીકરણ સેન્ટરનું લીસ્ટ આવશે
આ બાદ તારીખ અને સમયની સાથે પોતાનો રસીકરણ સ્લોટ બુક કરો
આ બધુ જ કર્યા બાદ તમે રસીકરણ સેન્ટર પર જઈને પોતાના બાળકોને કોરોનાની રસી લગાવી શકશો. રસીકરણ સેન્ટર પર આવતા પહેલા તમારે આઈડેન્ટીટી પ્રૂફ અને સીક્રેટ કોર્ડની જાણકારી આપવાની રહેશે. જે રજિસ્ટ્રેશન કરવા પર મળશે.
કઈ વેક્સીન લગાવવામાં આવશે?
બાળકોને હાલ ભારત બાયોટેકની કોવેક્સીન જ લગાવવામાં આવશે. ઓફિશ્યલ સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. દેશમાં હાલ 15થી 18 વર્ષના તરૂણોની અનુમાનિત વસ્તી 7-8 કરોડ છે.
ઝાયકોવ-ડીનું શું?
ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને 20 ઓગસ્ટે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ તેને હજુ વેક્સીનેશન પ્રોગ્રામમાં શામેલ નથી કરવામાં આવી. આ વેક્સીન 12 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.
બાળકોને વેક્સીન આપવી કેટલી સુરક્ષિત?
દુનિયાના ઘણા દેશોમાં બાળકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી રહી છે. બાળકો પર વેક્સીન અસરદાર સાબિત થઈ છે. ત્યાં જ 2થી 18 વર્ષના બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું કે બાળકો પર વેક્સીન અસરદાર સાબિત થઈ છે.
વેક્સીનના કોઈ સાઈડ ઈફેક્ટ્સ છે?
વેક્સીનના અત્યાર સુધી કોઈ સાઈડ ઈફેક્ટ્સ સામે આવ્યા નથી. વેક્સીન લગાવ્યા બાદ તાવ, બોડી પેઈન, ઈન્જેક્શન વાળી જગ્યા પર સોજો જેવા સાઈડ ઈફેક્ટ્સ થઈ શકે છે.
પહેલો અને બીજો ડોઝ ક્યારે આપવામાં આવશે?
જે કોવેક્સીન વયસ્કોને આપવામાં આવી રહી છે. તે જ બાળકોને પણ આપવામાં આવશે. માટે બાળકોની વેક્સીનમાં પણ બન્ને ડોઝની વચ્ચે 28 દિવસનું અંતર રહેશે. જો 3 જાન્યુઆરી પહેલા ડોઝ લાગી જશે તો 31 જાન્યુઆરી બાદ બીજો ડોઝ લગાવવામાં આવી શકે છે.
શું વેક્સીન માટે પૈસા પણ આપવાના હોય છે?
ના, દેશમાં કોરોના વેક્સીનેશનનો પ્રોગ્રામ સંપૂર્ણ રીતે ફ્રી ચાલી રહ્યો છે. ફક્ત ખાનગી હોસ્પિટલમાં વેક્સીન માટે પૈસા આપવાના હોય છે. સરકારી કેન્દ્રોમાં ફ્રી વેક્સીન જ આપવામાં આવે છે.
ક્યાં આપવામાં આવી શકે છે વેક્સીન?
વેક્સીનેશન માટે સરકારની તરફથી ઘણા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં જઈને વેક્સીન લગાવી શકાય છે. જ્યાં વયસ્કોને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યાં જ બાળકોને વેક્સીન આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત જેમને અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા છે. તો બાળકના વાલી આધાર કાર્ડ અથવા તો બાળકની સ્કૂલના ઓળખપત્ર દ્વારા કોવિડ રસીકરણનો સંતાનોને લાભ અપાવી શકશે.
10 માં ધોરણની માર્કશીટથી પણ થઈ શકશે વેકસીનેશન.
CoWIN પર રજીસ્ટ્રેશન માટે 10 માં ધોરણની માર્કશીટ પણ લગાવી શકાશે કારણ કે ઘણા બાળકો પાસે પોતાનું આધાર કાર્ડ કે બીજું ઓળખ માટેનો પુરાવો ન હોય તો તેનું વેકસીનેશન અટકી ન પડે.
એક સપ્તાહમાં 35 લાખ બાળકોને અપાશે રસી
સમગ્ર ગુજરાત રાજ્યમાં અંદાજે 35 લાખ થી વધુ બાળકોને આ રસીકરણ નો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે.ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની કોબા ની હાઇસ્કુલ થી રસીકરણ અભિયાન નો પ્રારંભ કરાવશે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકો ને આ રસીકરણ માં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે. 3 જાન્યુઆરીથી શરુ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓ ના પાંચ હજાર બાળકો ને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.
PM મોદીએ 25 ડિસેમ્બરે 15 થી 18 વર્ષના બાળકો માટે વેકસીનેશન શરૂ કરવાનું એલાન કર્યું હતું. તેમણે કરેલી જાહેરાત મુજબ 7 થી 8 કરોડ બાળકોને વેક્સિન મળી શકશે.