ગુજરાતમાં નવા મંત્રી મંડળનો શપથ વિધિ હવે ગુરુવારે.'નો રિપીટ થીયરી' પર રચાશે નવું મંત્રી મંડળ
નવા મંત્રી મંડળનો શપથ ગુરુવારે
મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી
'નો રીપીટ'ફોર્મ્યુલા પર રચાશે મંત્રીમંડળ
ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીની વરણી થઇ ગઈ છે ત્યારે, નવા મંત્રીઓ માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ. કમલમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બેઠકો ચાલી રહી છે. બુધવારે બપોરે નવા મંત્રી મંડળના સદસ્યોનો શપથ સમારોહ અચાનક રદ કરવો પડ્યો છે. ખુદ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી છે.હવે ગુરુવારે બપોરે 1.30 વાગ્યે શપથ સમારોહ યોજાશે.આ મંત્રીમંડળ 'નો રીપીટ થીયરી' વાળું હશે
નો રિપીટ થિયરી' શું છે ?
'નો રીપીટ થિયરી' એટેલ એક પણને પુન; સ્થાન ના આપવું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રી મંડળમાં રાજ્ય કે કેબીનેટ કક્ષાના મંત્રી પદે રહેલા ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં સ્થાન ના આપવું એટલે 'નો રીપીટ થીયરી'
પહેલી વાર જ નથી
ભારતીય જનતા પાર્ટીમાં આવું કઈ પહેલીવાર નથી થયું.આ પૂર્વે પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જ મંત્રીમંડળનાં સદસ્યોને 'રીપીટ'નહોતા કર્યા.તો છ માસ પૂર્વે યોજાયેલી સ્થાનીક સ્વરાજની ચૂટણીમાં પણ 'નો રીપીટ'ફોર્મુલા લાગુ પાડવામાં આવી હતી
ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ, વિધાનસભા,લોકસભામા 'નો રિપીટ થિયરી' લાગુ પાડી રહી છે .પ્રજાના રોષને ખાળવા માટે ભાજપ નો રિપીટ થિયરી અપનાવે છે અને આ થિયરીના કારણે અત્યાર સુધી ભાજપને ફાયદો જોવા મળ્યો છે