સરકાર તમારા ખાતામાં 2,67,000 રૂપિયા જમા કરાવી રહી છે તેવો મેસેજ વાયરલ થયા બાદ તેની સચ્ચાઈ સામે આવી છે.
સરકાર 2,67,000 રૂપિયા જમા કરાવી રહી છે તેવો મેસેજ વાયરલ થયો
પીઆઈબી ફેક્ટ ચેકમાં સામે આવી સચ્ચાઈ
વાયરલ મેસેજ ખોટો હોવાનું પીઆઈબી ફેક્ટ ચેકમાં સાબિત થયું
કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં સરકાર સીધા તમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવે છે. આજકાલ એક મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર તમારા બેંક એકાઉન્ટમાં 2,67,000 રૂપિયા જમા કરાવી રહી છે. જો તમને આવો મેસેજ મળ્યો હોય તો સાવધાન રહેજો-
Did you also receive a message claiming that your bank account has been credited with Rs 2,67,000 under 'Govt Yojana'?#PIBFactCheck
સરકારી યોજના હેઠળ રકમ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે
આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે આ રકમ સરકારી યોજના હેઠળ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જો તમને આવો કોઇ મેસેજ મળ્યો હોય તો તેને કોઇની સાથે શેર ન કરો.
પીઆઈબીએ ટ્વિટ કરીને શું લખ્યું
પીઆઈબીએ ટ્વીટ કરીને લખ્યું કે પીઆઈબીએ પોતાના સત્તાવાર ટ્વીટ પર લખ્યું કે જો તમને પણ આવો કોઈ મેસેજ મળ્યો છે તો લખ્યું છે કે સરકારી યોજના હેઠળ તમારા બેંક ખાતામાં 2,67,000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. તો તમે આ મેસેજને નજરઅંદાજ કરો.આવી યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી, પીઆઈબીએ આ મેસેજની ફેક્ટ ચેક દ્વારા સત્યતા વિશે જાણકારી મેળવી છે. પીઆઈબીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. જો તમને આવો કોઈ મેસેજ મળ્યો હોય તો ચેતી જજો.
આવા મેસેજથી ચેતજો
પીઆઈબીએ આ મેસેજને ફેક્ટ ચેક કર્યા બાદ સંપૂર્ણ રીતે ફેક ગણાવ્યો છે. પીઆઈબીએ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજથી દરેક વ્યક્તિએ સાવધ રહેવું જોઈએ. પીઆઈબીએ લોકોને આવા સંદેશાઓને આગળ ન મોકલવા જણાવ્યું હતું. આવા સંદેશાઓ દ્વારા લલચાવીને, તમે તમારી વ્યક્તિગત માહિતી અને નાણાંને જોખમમાં મૂકો છો.