દિલિપ જોશી અનુસાર, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ડેલી શો છે. અહીં રાઈટર્સને ડેલી એક નવો સબજેક્ટ લખવો પડે છે.'
2008થી લોકોનું મનોરંજન કરી રહ્યું છે તારક મહેતા
13 વર્ષથી લોકોની ફેવરેટ સિરીયલ છે તારક મહેતા
સિરીયલ બોરિંગ થવાને લઈને દિલીપ જોશીએ આપ્યો આ જવાબ
કોમેડી ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષ 2008થી સતત પ્રસારિત થઈ રહ્યું છે. આટલા વર્ષોમાં આ ટીવી સીરિયલે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. ત્યાં જ ઘણા નવા સ્ટાર્સ પણ આ ટીવી સીરિયલનો ભાવ બન્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને પ્રસારિત થતા થતા 13 વર્ષ થઈ ચુક્યા છે. એવામાં મોટાભાગે એ સવાલ ઉઠે છે કે શું હવે આ સીરિયલ બોરિંગ થઈ ચુકી છે? અને શું હવે તેમાં એ પહેલા જેવી વાત નથી રહી? જાણો આ સવાલના જવાબમાં સીરિયલના લીડ એક્ટર દિલીપ જોશીએ શું કહ્યું છે.
દિલીપ જોશીએ આપ્યો આ જવાબ
દિલીપ જોશી અનુસાર, 'તારક મહેતા કા ઉલ્ટા' ચશ્મા એક ડેલી શો છે. અહીં રાઈટર્સને ડેલી એક નવો સબ્જેક્ટ લખવો પડે છે. તે પણ માણસ છે હું સમજી શકુ છુ કે જ્યારે તમે એક ડેલી શો ચલાવો છો તો દરેક એપિસોડ્સ હ્યુમરની રીતે એટલું મજબૂર ન બની શકે જેટલું તેમને જોઈએ છે.
તમને જણાવી દઈએ કે શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પાછલા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં હાલ નશામુક્તિને લઈને લોકોમાં જાગૃતતા લાવવા માટેનો ટોપીક ચાલી રહ્યો છે. આટલા વર્ષો પછી પણ તારક મહેતાની ફેન ફોલોવિંગ ઓછી નથી થઈ. તેને જોવા વાળો એક ચોક્કસ વર્ગ હજુ પણ અકબંધ છે.