ઈસ્લામિક સ્ટેટ ગ્રુપના એક આતંકવાદી હુમલામાં 36 થી વધારે લોકોના જીવ ગયા છે.
બગદાદમાં આતંકી હુમલામાં 36ના મોત
ડઝનો લોકો ઘાયલ થયા
રાષ્ટ્રપતિએ જઘન્ય અપરાધની નિંદા કરી
બગદાદમાં આતંકી હુમલામાં 36ના મોત
ઈરાકની રાજધાની બગદાદના ઉપનગરીય વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ ગ્રુપના એક આતંકવાદી હુમલામાં 36 થી વધારે લોકોના જીવ ગયા છે. મૃતકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો શામેલ છે. આ હુમલો સોમવારે સાંજ સુધીમાં થયો. હવે લોકો ઈદ - ઉલ- જુહાથી પહેલા બજારોમાં ખરીદારી કરી રહ્યા હતા. આ હુમલામાં પુરુ બગદાદ શોકમાં ડુબ્યું છે.
ડઝનો લોકો ઘાયલ થયા
યુદ્ધ ગ્રસ્ત દેશમાં સોમવારે સાંજે થેયલા લોહીયાળ નરસંહાર વર્ષોમાં સૌથી ઘાતક હુમલામાંથી એક છે. આ હુમલામાં કથિત રીતે ઓછામાં ઓછા 36 લોકોના જીવ ગયા છે. જ્યારે ડઝનો લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં મુસ્લિમોના તહેવાર ઈદ અલ જુહાની શરુઆતના કેટલાક કલાક પહેલા થયો જેનો ત્યાગ અને બલિદાનનો ઉત્સવ માનવામાં આવે છે.
સ્લીપર સેલ સક્રિય હતુ
આના હુમલામાં આતંકી સંગઠન આઈએસની પહોંચ અંગે ઘૃણા અને નવી રીતે આશંકાઓને જન્મ આપ્યો છે. જેમાં 2017ના અંત સુધી એક ભીષણ અભિયાન બાદ ઈરાકમાં પોતાના અંતિમ વિસ્તારને ખોઈ નાંખ્યો હતો. પરંતુ સુદુર રેગિસ્તાન અને પહાડી વિસ્તારમાં તેમનો સ્લીપર સેલ યથાવત હતું. સુન્ની મુસ્લિમ જિહાદિયોએ ટેલીગ્રામ મેસેન્જર સેવા પર દાવો કર્યો છે કે એક આઈએસ આત્મઘાતી હુમલાખોરને ઉત્તર પૂર્વ બગદાદના સદર શહેરના શિયા જિલ્લાના વોહેલત બજારમાં એક વિસ્ફોટ કર્યો છે. જે ઈદના પ્રસંગ પર ખરીદારી માટે સજાવવામાં આવ્યા હતા અને ત્યાં ઘણી ભીડ હતી.
રાષ્ટ્રપતિએ જઘન્ય અપરાધની નિંદા કરી
હુમલા બાદ લોકો ભયમાં આવી ગયા છે અને ત્યાં અફરા તફરી મચી ગઈ. ચારે બાજુ રડવા અને ચીસોની અવાજ અને હવામાં ઘૂમાડો ભરાયો હતો. હવે ધૂમાડો સાફ થયો છે જે બજારમાં વિખરાયેલા સેન્ડલ, બજારની ઉપડ અને સ્ટોલોના સળગેલા કાટમાળની વચ્ચે માનવ અવષેશો વિખરાયેલા પડ્યા હતા. રાષ્ટ્રપતિ બરહમ સાલિહે ઈદની પૂર્વ સંધ્યા પર અભૂતપૂર્વ ક્રુરતાના જઘન્ય અપરાધની નિંદા કરી હતી અને ટ્વીટર પર લખ્યુ કે ગુનેગારોને એક પળ માટે ચેનથી નહીં રહેવા દે.