ઘણી વખત લોકો કહે છે કે ઘરમાં કબૂતર માળો બાંધે તો આર્થિક તંગીનો સામનો કરવો પડે છે પણ ઘણા લોકો કહે છે કે કબૂતર માળો બાંધે તો સૂતેલ કિસ્મત પણ ચમકી જાય છે.
ઘરમાં બાંધવામાં આવેલ કબૂતરોના માળો શુભ કે અશુભ?
આ વિશે વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે
મા લક્ષ્મીનું થાય છે આગમન
કબૂતરને ઘણું સુંદર પક્ષી માનવામાં આવે છે અને ઘણા લોકોને કબૂતર પાળવાનો પણ શોખ હોય છે. કબૂતરના શાંત સ્વભાવને કારણે લોકો એ પક્ષીને ખૂબ જ પસંદ કરે છે. ઘણા લોકો કબૂતરોને દાણા ખવડાવે છે તો ઘણી વખત કબૂતરો ઘણા લોકોના ઘરની અગાસી કે બાલ્કનીમાં માળો બનાવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ઘરમાં બાંધવામાં આવેલ કબૂતરોના માળાને સારું માને છે તો કેટલા લોકો તેને દુર્ભાગ્ય સાથે જોડે છે. ઘણી વખત લોકો કહે છે કે ઘરમાં કબૂતર માળો બાંધે તો આર્થિક તંગીનો સામનો કરવો પડે છે પણ ઘણા લોકો કહે છે કે કબૂતર માળો બાંધે તો સૂતેલ કિસ્મત પણ ચમકી જાય છે. આ વિશે વાસ્તુશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ.
દુર્ભાગ્યની નિશાની
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનો માળો બનાવવો એ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવી છે. આનાથી ઘરમાં આર્થિક તંગીની સાથે સાથે અસ્થિરતા આવે છે. એવામાં જો કબૂતરોએ ઘરની અંદર માળો બનાવ્યો હોય તો તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી દૂર છોડીને આવું જોઈએ.
શુભ સંકેત
એક બાજુ જ્યાં ઘરમાં કબૂતરોનો માળો અશુભ માનવામાં આવે છે તો બીજી બાજુ જો ઘરમાં કબૂતર આવે તો તે ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં કબૂતર આવે તો ટૂંક સમયમાં મોટી સફળતા મળે છે.
દાણા ખવડાવવાથી ખૂલે છે કિસ્મત
આ સાથે જ કબૂતરોને ખવડાવવું એ પુણ્યનું કામ માનવામાં આવે છે અને આ કામ કરવાથી અનેક પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે. એટલા માટે રોજ કબૂતરોને ખવડાવી શકો એવો પ્રયાસ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે સાથે જ સૂતેલ કિસ્મત પણ જાગી જશે.
મા લક્ષ્મીનું થાય છે આગમન
આ સાથે જ એવું માનવામાં આવે છે કે કબૂતર એ મા લક્ષ્મીના ભક્ત હોય છે અને લક્ષ્મી માતા એમને ખૂબ જ પસંદ કરે છે. એટલા માટે જો ઘરમાં કબૂતર આવે તો તેને દેવી લક્ષ્મીના આગમન સાથે જોડવામાં આવે છે. ઘરમાં કબૂતર આવે તો પૈસા સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થાય છે.