સંભવિત ઓમિક્રોન પ્રભાવિત વિસ્તારમાં લોકડાઉન લગાડી શકાય
લોકડાઉનથી દેશમાં ગરીબી વધી શકે છે
ફરી વાર લોકડાઉન લગાડવાનો નિર્ણય ઘણો ખોટો હશે-અંકલેશ્વર અય્યર
IMFના ડિરેક્ટર સુરજીત ભલ્લાને ટાંકીને અંકલેશ્વર અય્યરે કહ્યું કે બીજી લહેરમાં લોકડાઉનના હકારાત્મક કરતા નકારાત્મક પરિણામો ઘણા આવ્યાં છે. જો ફરી વાર દેશમાં લોકડાઉન લગાડાયું તો ગરીબી વધી શકે છે.
આરોગ્ય તંત્ર ધરાશાયી થવાને કારણે પણ મોટી સંખ્યામાં દર્દીઓ મોતને ભેટ્યા
પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી સ્વામી અંકલેશ્વર કહ્યું કે કોરોના વાયરસ ખૂબ જ જીવલેણ છે, તેમાં કોઈ શંકા નથી કારણ કે કોવિડ-19 મહામારીમાં વિશ્વભરના લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે બધા મોત કોરોનાને કારણે થયા હતા સાવ એવું નથી આરોગ્ય તંત્ર ધરાશાયી થવાને કારણે પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી ન શકવાને કારણે મોતને ભેટ્યા હતા.
લોકડાઉનને બદલે આરોગ્ય સુવિધા વધારવા પર ભાર
સ્વામી અંકલેશ્વરના મત પ્રમાણે લોકડાઉનને બદલે આરોગ્ય સુવિધા વધારવી જોઈએ. વૈશ્વિક ડેટાના મૂલ્યાંકનના આધારે સ્ટેન્ડફોર્ડના જ્હોન આયોનિડિસે જણાવ્યું હતું કે 70 વર્ષથી ઓછી વયના કોવિડ દર્દીઓનો મૃત્યુદર માત્ર 0.05 ટકા છે.
વેક્સિનેશન બેસ્ટ ઓપ્શન
સ્વામી અંકલેશ્વરે જણાવ્યું કે ભારતમાં 70 ટકા વસ્તીને રસીનો બે ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂરતો નથી. સરકારે ત્રીજો બુસ્ટર ડોઝ આપવા અને વાર્ષિક રસી કરાવવા અંગે વિચારવું પડશે. શક્ય છે કે એક વ્યક્તિ બ્રાન્ડ અને કેટલીક વાર બીજી બ્રાન્ડને રસી આપવામાં વધુ અસરકારક હોઈ શકે છે. તેમના મત પ્રમાણે કોરોનાને રોકવા વેક્સિનેશન બેસ્ટ ઓપ્શન છે.