દેશમાં મોટા ભાગના રાજ્યોમાં કોરોનાનો પીક ખતમ થતો દેખાઈ રહ્યો છે. પરંતુ 30 સપ્ટેમ્બરથી 7 રાજ્યોમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદાજે રોજના નવા કેસોની સંખ્યા વધી રહી છે. કેરળમાં રોજના નવા સાપ્તાહિક અંદાજે ક્રમશઃ 19 ટકા, 31.5 ટકા અને 5.1 ટકાના દરથી વૃદ્ધિ થઈ છે. અન્ય 3 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામિલ છે લદ્દાખ, મેઘાલય અને નાગાલેન્ડ. જેમાં નવા કેસો અઠવાડિયામાં અંદાજિત ક્રમશઃ 89ટકા, 61.9 ટકામ અને 19.3 ટકાના દરે વધી રહ્યા છે. કેરળના 3 જિલ્લામાં આ મહિનાના પહેલા 11 દિવસમાં કોરોનાના કેસ લગભગ 60 ટકા વધ્યા છે. આ મહિનામાં કોઝીકોડમાં 62.2 ટકા ત્રિસૂરમાં 61.9 ટકા કોલ્લમમાં 57.9 ટકા કેસ વધ્યા છે.
કેરળમાં 233 ટકા વધી ગયા છે કોરોનાના એક્ટિવ કેસ
કેરળના 3 જિલ્લામાં 11 દિવસમાં કોરોનાના કેસ 60 ટકા વધ્યા
ગત 4 અઠવાડિયાથી ભારતમાં કોરોના નવા કેસમાં 11 ટકા ઘટાડો નોંધાયો છે. પરંતુ કોરોના પર કાબૂ મેળવવામાં મોડલ સ્ટેટ બનેલા કેરળમાં આ ચાર અઠવાડિયામાં 233 ટકા એક્ટિવ કેસ વધ્યા છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસનો પ્રકોપ સંપૂર્ણ ખતમ નથી થયો. આ વિકરાળ રુપ લઈ રહ્યો છે. કોઝીકોડમાં 62.2 ટકા, ત્રિસૂરમાં 61.9 ટકા, કોલ્લમાં 57.9 ટકા કેસ વધ્યા છે.
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે કોરોનાની બીજી લહેરની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કદાચ આ વાયરસનું મ્યૂટેશન હોઈ શકે છે. અનેક કારણ હોઈ શકે છે. કેરળના લોકો મોટી સંખ્યામાં અન્ય રાજ્ય, વિદેશમાં કામ કરે છે. રાજ્યમાં સંક્રમિતોમાં આવા લોકોની સંખ્યા વધુ જે બહારથી આવ્યા હોય. તેમણે કહ્યુ કે દક્ષિણના રાજ્યોમાં મ્યૂટેશનના કારણે કોરોના વધુ ફેલાયો છે. મોટા પાયે ટેસ્ટિંગ કરાવો.
મ્યૂટેશન શું હોય છે?
મ્યૂટેશન એટલે રૂપ બદલવું. કોરોના વાયરસ પોતાનું રૂપ વારંવાર બદલી રહ્યો છે. કોરોના અલગ અલગ પ્રકારની પોતાની કોપી બનાવી રહ્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત કોશિકા લાખોમાં વાયરસ છોડે છે. આ વાયરસ મૂળ જીનોમની કોપી કરે છે. કોશિકા આ જીનોમની કોપી બનાવે છે. કોપી કરતા સમયે ક્યારેક ભૂલ કરી દે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 12 હજારથી વધારે મ્યૂટેશન રિસર્ચ દરમિયાન મળ્યા છે.