પોટેશિયમ, વિટામિન બી6, વિટામિન સી, મેગ્નેશિયમ, કોપર, ફાયબર અને કાર્બ્સથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી પાચન તંત્ર સારું રહે છે, હાર્ટ હેલ્ધી રહે છે, એનિમિયા અને બીપીનો પ્રોબ્લેમ થતો નથી. પણ શું તમે જાણો છો કે આટલા ફાયદાકારી કેળા નુકસાન પણ કરી શકે છે જ્યારે તમે તેને ખાવામાં કેટલીક ભૂલો કરો. તો ચાલો જાણીએ.
પોષક તત્વોથી ભરપૂર હોય છે કેળા
પણ તેને ખાવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
આવી સમસ્યા હોય તો રાતે કેળુ ન ખાવું
શું કહે છે આયુર્વેદ
આયુર્વેદ મુજબ કેળાને તમે રાતે પણ ખાઈ શકો છો પરંતુ જો તમને શરદી, ખાંસી, અસ્થમા કે સાયનસનો પ્રોબ્લેમ છે તો તમારે રાતે કેળા ન ખાવા જોઈએ, કારણ કે રાતે કેળા ખાવાથી મ્યૂકસ બનવાનો ખતરો રહે છે, જેના કારણે આ સમસ્યાઓ વધી શકે છે. રાતે કેળા ખાવાથી વજન પણ વધી શકે છે.
એસિડિટી અને છાતીમાં બળતરા
જો તમે રાતે હેવી ડિનર ખાધું છે જેમાં તેલ મસાલા વધારે હોય અને પછી તમને એસિડિટી કે છાતીમાં બળતરા થવા લાગે તો આ સમયે તમે 1 કેળુ રાતે ખાઈ શકો છો. તેનાથી તમને એસિડિટી અને છાતીમાં બળતરાનો પ્રોબ્લેમ નહીં થાય. કેળા પેટમાં રહેલાં એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
સારી ઉંઘ આવે છે
જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા છો અને રાતે અનિદ્રાનો પ્રોબ્લેમ થાય તો રોજ રાતે 1 કેળું ખાઈ લેવું, તેમાં રહેલું પોટેશિયમ મીઠી નીંદર લાવવામાં મદદ કરે છે. માંસપેશીઓને રિલેક્સ કરે છે.
ગળ્યું ખાવાની ક્રેવિંગને શાંત કરે છે
જો તમને રાતે કંઈક ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય તો તમે કેળુ ખાઈ શકો છો. રાતે કેલરી અને શુગરવાળી મીઠાઈ ખાવા કરતાં કેળા બેસ્ટ ઓપ્શન છે.
બીપીને રાખે છે કંટ્રોલમાં
જો તમને બીપીનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમે ડાયટમાં પોટેશિયમની માત્રા વધારવી જોઈએ અને સોડિયમની માત્રા ઓછી કરી દેવી જોઈએ. કેળામાં ભરપૂર પોટેશિયમ હોય છે. જેથી તેને ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.