દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ગયું છે. ચૂંટણીપંચ દ્વારા તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષો હવે જનતાને રિ{વવા માટે તૈયારીમાં લાગી ગયા છે. જો કે હાલ દિલ્હીમાં હાલ `આપ'નું શાસન છે. 2020ના ઓપિનિયન પોલ પણ કેજરીવાલની સરકાર બનાવી રહ્યા છે. કેજરીવાલ ફરીવાર સત્તા સંભાળે તેવા તેમના કામ બોલે છે. પરંતુ આ બધા વચ્ચે દિલ્હી ભાજપના પણ કંઈક એવા કામ છે જે કેજરીવાલને જીત અપાવવા માટે મદદ કરી શકે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું ફુંકાયું બ્યૂગલ
ઓપિનિયન પોલ કહે છે 'આપ'ની જીત
ભાજપની છબી સુધરવાને બદલે બગડી રહી છે
દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાઈ ગયું છે. 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની તમામ સિત્તેર બેઠકો પર એકીસાથે મતદાન યોજાઈ જશે અને 11 ફેબ્રુઆરીએ ખબર પડી જશે આ વખતે દિલ્હી કોને મળે છે.
ઓપિનિયન પોલમાં કેજરીવાલ બનાવશે સરકાર
જો કે ચૂંટણીની તારીખો ભલે હમણા જાહેર થઈ હોય પરંતુ દિલ્હીવાસીઓના દિલ બહેલાવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા સભાઓનો દૌર ક્યારનોય શરૂ થઈ ગયો છે. ગયા મહિને ખુદ પીએમ મોદી અને અમિત શાહ દિલ્હીમાં હુંકાર ભરીને આવ્યા છે. જો કે તાજા આવેલા ઓપિનિયન પોલના આંકડાઓ અરવિંદ કેજરીવાલને ફરીવાર દિલ્હીનું શાસન આપી રહ્યા છે.
કેજરીવાલ જીતી જાય તો તેમાં મોટી ભૂમિકા દિલ્હી ભાજપની હશે
અરવિંદ કેજરીવાલને દિલ્હીનું સુકાન ફરીવાર સોંપતા ઓપિનિયના પોલના આંકડામાં માત્ર જનતાનો અભિપ્રાય જ નથી વ્યક્ત થતો. પરંતુ આ આંકડાઓમાં દિલ્હી ભાજપની કેટલીક ખામીઓ પણ ઊડીને આંખે વળગી રહી છે. દિલ્હીમાં ખાસ કરીને શહેરી મધ્યમવર્ગમાં ઘટતા પ્રભાવ છતાં જો અરવિંદ કેજરીવાલ જીતી જાય તો તેમાં મોટી ભૂમિકા દિલ્હી ભાજપની હશે. દિલ્હીમાં કેજરીવાલની જીત માટે `આપ સરકાર'ના કામ જેટલા જવાબદાર હશે તેટલી જવાબદાર દિલ્હી ભાજપ પણ હશે. આપને સવાલ થતો હશે કે, કેમ કેજરીવાવની જીત માટે ભાજપ જવાબદાર હોઈ શકે. તો આપને દિલ્હીનું વર્તમાન રાજકીય પરિદ્રશ્ય જાણવું જરૂરી બની રહેશે.
ભાજપની છબી સુધરવાને બદલે બગડી રહી છે
દિલ્હીમાં ભાજપની આટલી ભૂલો તો ભાજપની હાર માટે જવાબદાર બનશે જ. પરંતુ હમણા હમણાં તો દિલ્હી ભાજપના નેતાઓ ભૂલોની હારમાળા સર્જી રહ્યા છે. એક તરફ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા છતાં અરશવદ કેજરીવાલ દર અઠવાડિયે એક બાદ એક લોકપ્રિય યોજાનાઓની જાહેરાત કર્યે જતા હતાં તો આ તરફ દિલ્હી ભાજપના નેતાઓ પાણી, વીજળી પર સબસિડી ખતમ કરવાની વાતો કરી રહ્યા હતા. તેઓ ઓડ-ઈવન રુલ્સ જાણી જોઈને તોડવા ઈચ્છી રહ્યા હતા. આ બધી બાબતોથી ભાજપને મદદ નથી મળી રહી ઊલટાની તેની છબી વધારે ખરાબ થઈ રહી છે. આ બધા કારણોએ કેજરીવાલ માટે નવી તક ઊભી કરી દીધી છે. નહીંતો 2019માં લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના હાથે હાર બાદ મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા હતા. .
હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવી સ્થિતિ ભાજપની દિલ્હીમાં થાય તો નવાઇ નહીં
હાલનુ દિલ્હીનું રાજકીય પરિદ્રશ્ય જોતાં ચૂંટણીના મેદાનમાં કેજરીવાલ સામે કાં તો કોઈ જ નથી અથવા જે કોઈ છે તે કેજરીવાલ સામે નતો લોકપ્રિયતામાં ટકી શકે તેવા છે કે નતો શાણપણાં કેજરીવાલની બરોબરી કરી શકે તેવા છે. જો આ બધું આમ જ રહ્યુ તો આપણે હરિયાણા, મહારાષ્ટ્ર અને જારખંડ જેવી સ્થિતિ દિલ્હી માં પણ જોવા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.