મહામંથન / ભાજપ વધારે બળવાન છે કે કોંગ્રેસ અતિશય નબળી છે ?

એવુ કહેવાય છે કે હરિફને કયારેય નબળો ન સમજવો પરંતુ જો કોંગ્રેસ જેવો હરિફ હોય તો ચોક્કસ કહી શકાય કે હરિફ નબળો છે. 2015માં પાટીદાર આંદોલન અને શાસન વિરોધી કથિત લહેરને કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થયો અને ઘણી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કોંગ્રેસે કબ્જે કરી, પરંતુ અફસોસ હંમેશની જેમ પોતાને મળેલો ફાયદો કોંગ્રેસને પરિવર્તનમાં તબદીલ કરતા ન આવડયો.. હવે સ્થિતિ એવી છે કે 11 જિલ્લા પંચાયતો કોંગ્રેસ ગુમાવી ચૂકી છે માત્રને માત્ર નેતૃત્વ શકિતના અભાવે.. એટલે જ તો સવાલ થાય કે ભાજપ ખરેખર બળવાન છે કે કોંગ્રેસ અતિશય નબળી છે, આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ