સીરિયામાં અબુ બકર બગદાદી અને અબ્દુલ્લા કરદાશની હત્યા બાદ વિશ્વના સૌથી ખુંખાર આતંકવાદી સંગઠને નવા અનુગામીની જાહેરાત કરી છે. ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) એ તેની ઘોષણા કરી છે અને બગદાદી અને તેના પ્રવક્તાની હત્યાની પુષ્ટિ કરી છે.
IS ના નવા વડાની જાહેરાત
બગદાદી અને કરદાશના મોત બાદ IS ને મળ્યો નવો આકા
ઓડિયો મેસેજ દ્વારા થઇ જાહેરાત
ઇસ્લામિક સ્ટેટે નવા અનુગામી તરીકે અબુ ઇબ્રાહિમ અલ હાશીમી અલ કુરેશીનું નામ જાહેર કર્યું છે. આઈએસના નવા પ્રવક્તા અબુ હમઝા અલ કુરેશીએ ગુરુવારે જૂથની મીડિયા શાખા દ્વારા વિતરણ કરવામાં આવેલ એક ઓડિઓ નિવેદનમાં આ જાહેરાત કરી.
બગદાદીનું તાજેતરમાં જ થયું મોત
નોંધનીય છે કે, 20 ઓક્ટોબરે, યુએસ સેનાએ આઈએસના વડા બગદાદીને ઘેરી લીધો હતો, ત્યારબાદ તેણે બોમ્બ બ્લાસ્ટમાં પોતાને અને ત્રણ બાળકોને ઉડાવી દીધા. આમાં તેની બે પત્નીનું પણ મોત નીપજ્યું હતું. પાછળથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેની પુષ્ટિ કરી હતી.
અબ્દુલ્લા કરદાશને સોંપાઇ હતી કમાન
બગદાદીના મોત સાથે આતંકી સંગઠન ISISને અબ્દુલ્લા કરદાશ રૂપે નવો આકા મળી ગયો છે. જેણે બગદાદીની કમાન સંભાળી હતી. કરદાશને પૂર્વ આકા અબુ બકર અલ-બગદાદીનાં મોત બાદ ઉત્તરાધિકારી બનાવાયો હતો. કારણ કે, તે બગદાદીની ખૂબ નજીકનો વ્યક્તિ હતો. અબ્દુલ્લા કરદાશ અંગે વાત કરવામાં આવે તો કરદાશ બગદાદીનો અંગત ગણવામાં આવે છે અને બન્ને 2003માં અલકાયદા સાથે સંબંધ હોવાનાં આરોપમાં ઈરાકમાં બસરા સ્થિત જેલમાં એક સાથે રહેતાં હતા.
કરદાશનો પણ બોલાવાયો સફાયો
એક અહેવાલ અનુસાર, કરદાશ ભૂતપૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસેન માટે સૈન્યમાં કામ કર્યું હતું. હવે બગદાદીએ કોઈ ઓપરેશનમાં ભાગ લીધો ન હતો પરંતુ ઓર્ડર આપ્યા હતા અને કરદાશ ખુદ આતંકવાદી યોજનાઓને અંજામ આપતો હતો. ઓગસ્ટમાં હવાઈ હુમલોમાં ઘાયલ થયા બાદ તેને કરદાશને કમાન્ડ સોંપવામાં આવ્યો હતો. બાદમાં તેના પણ માર્યા જવાની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે પણ કરી હતી.