કપિલ શર્મા શોમાં અક્ષય કુમારની એન્ટ્રી થશે કે નહી તે ચર્ચાનો આખરે આવ્યો અંત, કપિલ શર્માએ ટ્વિટ કરીને આપી આ માહિતી
શું અક્ષય કપિલ શર્માથી છે નારાજ ?
બચ્ચન પાંડેના પ્રમોશન માટે નહી જાય કપિલ શર્મા શોમાં ?
કપિલ શર્માએ કર્યો ખુલાસો
અક્ષય કુમાર તેની ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં આવશે તેવી આપણે રાહ જોઇ રહ્યા છીએ પરંતુ જાણવા એવુ મળ્યુ છે અક્ષય કુમારે આ શોમાં જવાની ના પાડી દીધી છે. કારણ કે તે કપિલ શર્માથી નારાજ છે. આવી ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ, પરંતુ હવે કપિલ શર્માનું એક ટ્વિટ સામે આવ્યુ છે જેણે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે.
કપિલ શર્માએ કર્યો ખુલાસો
કપિલ શર્માએ હમણા જ ટ્વિટર પર આ અંગે ખુલાસો આપતા જણાવ્યુ છે કે મારા અને અક્ષય કુમારને લઇને મીડિયામાં ચાલતા ન્યૂઝને અંગે મે અક્ષય કુમાર સાથે વાતચીત કરી દીધી છે. તે એક મિસકોમ્યુનિકેશન થયુ હતું. અત્યારે બધુ સારુ છે. અને આપણે જલ્દીથી જ બચ્ચન પાંડેના શૂટને લઇને મળી રહ્યા છીએ. તે મારા મોટાભાઇ જેવા છે તે મારાથી ગુસ્સે ક્યારેય ન રહી શકે. થેન્ક્યું.
Dear friends,was reading all the news in media about me n Akshay paji, I have jus spoke to paji n sorted all this, it was jus a miss communication, all is well n very soon we r meeting to shoot Bachhan pandey episode. He is my big bro n can never be annoyed with me 😊thank you 🙏
એક ખાનગી સમાચારના અહેવાલ મુજબ અક્ષય કુમાર કપિલ શર્મા અને તેની ટીમથી નારાજ છે. તેને ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલ જોકને એડિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ એડિટ થાય તે પહેલા જ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. આ કારણોસર અક્ષય કુમાર ગુસ્સે હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. જો કે આ મામલે કપિલે ખુદ અક્ષયકુમાર સાથે વાતચીત કરીને મામલો ઉકેલી લીધો છે.
અક્ષયનો વર્કફ્રન્ટ
અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' 18 માર્ચે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સિવાય અક્ષય કુમારના ખાતામાં વધુ ફિલ્મો છે જેમ કે રામ સેતુ, રક્ષા બંધન, પૃથ્વીરાજ, સેલ્ફી અને સિન્ડ્રેલા. છેલ્લી વખત અક્ષય કુમાર સારા અલી ખાન અને ધનુષ સાથે ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળ્યો હતો.