આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે, ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે, સિંચાઇનુ પાણી આપી શકાય એમ નથી નીતિન પટેલના નિવેદન બાદ ખેડૂતો નારાજ
પાણી આપવાની જાહેરાત બાદ સરકાર ફરી ગઈ,
નીતિન પટેલના નિવેદન બાદ ખેડૂતો નારાજ
પાણી આપવાની જાહેરાત બાદ સરકાર ફરી ગઈ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન બાદ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, ડેમમાંથી સિંચાઇના પાણી મુદ્દે DyCMએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ વખતે ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા ઉભી થઇ છે. જેથી આ વખતે ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે નહીં, ડેમમાં પાણીમો જથ્થો પીવા માટે રિઝર્વ રાખવો જરૂરી છે આ વર્ષે ખેડૂતો પાક માટે વરસાદ પર જ આધાર રાખવે પડશે. સ્વાતંત્ર પર્વના દિવસે પટેલે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા મામલે મોટું નિવેદન આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
પાણી આપવાની જાહેરાત બાદ સરકાર ફરી ગઈ
ઉલ્લખેનિય છે કે જૂલાઈ બાદ વરસાદ પાછો ખેંચાતા રાજ્ય સરકારે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરુ પાડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરતું હવે રાજ્યાના નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન સામે આવતા ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે પાણી આપવાની જાહેરાત કર્યા બાદ ફરી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડ્યો છે, ખેડૂતોએ ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેવું પડશે આ વખતે સિંચાઇ માટેનું પાણી આપી શકાય એમ નથી, કારણ કે રાજ્યના તમામ ડેમોમાં 30 ટકા સુધી પાણી હોવાથી સિંચાઈ માટે આપી શકાય એમ નથી, ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વ જથ્થો હોવાથી સિંચાઈનું પાણી આપી શકાશે નહીં. આ નિવદેન બાદ હવે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જો સમયસર પાકની પાણી નહીં મળે તો પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઈ રહી છે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોના માથા પર ચિંતાના વાદળો ઘેરાતા જઈ રહ્યા છે.
નીતિન પટેલના નિવેદન બાદ ખેડૂતો નારાજ
હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા રાજ્યમાં વરસાદની શક્યાતાઓ નહીવત જોવા મળી રહી છે, જો કે 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં લો પ્રેશન સર્જાઈ શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે બાદ કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે 17 ઓગસ્ટ બાદ અનેક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ કરતા પણ ઓછો વરસાદ પડ્યો છે ખેડૂત પોતાનો પાક બચાવવા માટે સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. જો કે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની જાહેરાત બાદ સરકારે સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહેવું પડશે કહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.