ગાંધીનગરઃ રાજ્યમાં હાલ પાણીની સ્થિતિ અંગે સિંચાઈ મંત્રી પરબત પટેલે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. નર્મદા કલ્પસર અને જળસંપત્તિની માંગણીઓ પર જવાબ આપતા પરબત પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ભૂમિ પ્રમાણે પાણીનો ભાગ 2.3 ટકા છે.
1995 બાદ રાજ્યમાં પાણી માટે 87 નવી યોજનાઓ શરૂ કરાઈ હતી. જેમાંથી 69 યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે 14 યોજનાઓ પ્રગતિમાં છે. આ સાથે જ 1995 પછી સિંચાઈમાં 25 લાખ હેક્ટરનો વધારો થયો છે.
રાજ્યમાં વર્ષ 2001થી 2017 સુધી 9 હજાર 391 નવા તળાવો પણ સરકાર દ્વારા બનાવાયા છે. જળસંપાત્તિ વિભાગની કામગીરીમાં પણ 18 ટકાનો વધારો થયો છે.
તો હાલ સુજલામ સુફલામ અને સૌની યોજના જેવા મોટા પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. જેના દ્વારા રાજ્યની જનતાને સિંચાઈમાં સૌથી મોટો ફાયદો થશે.