છેલ્લા ત્રણ મહિનાની અંદર બોલિવૂડે ઇરફાન, ઋષિ કપૂર અને સુશાંતસિંહ રાજપૂતના રૂપમાં ત્રણ મોટા ઝટકા સહન કર્યા છે. સુશાંતના મોતથી તેના ફેન્સ ખૂબ જ દુઃખી છે. સુશાંતની આત્મહત્યા બાદ સતત બોલિવૂડમાં નેપોટિઝમનો મુદો ઊઠી રહ્યો છે.
સુશાંતના મૃત્યુના કારણોને લઈને ઘણાં અંદાજ લગાવવામાં આવી રહ્યા છે
તેની આત્મહત્યા પાછળ નિપોટિઝમને જવાબદાર માનવામાં આવી રહ્યું છે
આ અંગે ઈરફાન ખાનના દીકરા બાબીલ ખાને લોકોને અપીલ કરી છે
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે ઇરફાનના પુત્ર બાબિલે એક પોસ્ટ શેર કરી છે. તેણે ઇરફાન અને સુશાંતની તસવીર શેર કરીને લખ્યું છે કે હજુ સુધી આપણે લોકો ખુદને સંભાળી શક્યા નથી. આપણે બે સૌથી ઇમાનદાર લોકોને ગુમાવી દીધા છે અને ઇમાનદારી જ તમારી આધ્યાત્મિક સફરનું કારણ બને છે. સુશાંતની આત્મહત્યા એક ઝટકા સાથે આપણી સામે આવી છે. આપણને કોઇ ને કોઇ પર આરોપ લગાવવા કે કોઇને જવાબદાર ઠેરવવાની આદત રહી છે, જે ફાલતૂ છે. દોષારોપણથી તેમને શાંતિ નહીં મળે, કેમ કે તે એક પળનું જુઠ્ઠાણું હોય છે.
સુશાંતના ફેન્સને અપીલ કરતાં બાબિલે લખ્યું છે કે તમે સ્વીકારો કે જિંદગી ઉતાર-ચઢાવથી ભરેલી હોય છે. આ માટે કોઇ સફાઇ ન આપી શકાય, હું ઇચ્છું છું કે તમે કારણોની તપાસ કરવાનું બંધ કરો. તે જનારી વ્યક્તિના નજીકના લોકોમાં ઘોર નિરાશા લાવશે. આપણને આવા ઇમાનદાર લોકોની આગળ વધવાની ખુશી હોવી જોઇએ અને આપણે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઇએ. તેણે આગળ લખ્યું છે કે હું કહેવા ઇચ્છું છું કે જે સાચું હોય તેના માટે ઊભા રહો, પરંતુ સુશાંતના નિધનનો ઉપયોગ ન કરો. જો તમે નેપોટિઝમ વિરુદ્ધ અવાજ ઉઠાવવા ઇચ્છતા હો તો એમ કરો, પરંતુ સુશાંતને આ માટેનું કારણ ન બનાવો. સાચું હોય તેના માટે કોઇ પણ દરકાર વગર ઊભા થાવ.