બોલિવૂડના શ્રેષ્ઠ એક્ટર્સમાંથી એક ઈરફાન ખાને 29 એપ્રિલે દુનિયાને અલવિદા કહી દીધું. તેઓ છેલ્લા 2 વર્ષ સુધી ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર નામની બીમારી સામે લડી રહ્યાં હતો. આ સાથે તે ઈલાજ માટે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ તેના નિધનથી લોકો દુઃખી છે. બોલિવૂડથી લઈને પાકિસ્તાની અને હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અને ફેન્સે પણ ઈરફાનને શ્રદ્ધાજંલિ આપી.
ઈરફાન ખાને 29 એપ્રિલે દુનિયાને કહી દીધી અલવિદા
દેશના જ નહીં વિદેશના સેલેબ્સે પણ એક્ટરને આપી શ્રદ્ધાજંલિ
ત્યારે હવે પત્ની સુતાપા અને બાળકોએ નિવેદન જાહેર કર્યું
ઈરફાનના પરિવારે પણ ઓફિશિયલી નિવેદન જાહેર કર્યું છે. જેમાં ઈરફાનની પત્ની સુતાપા સિકદર અને તેના બંને દિકરા બાબિલ અને અયાન ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. સુતાપાએ નિવેદનમાં કહ્યું- ઈરફાનના નિધનથી તેના પરિવારજનો જ નહીં પરંતુ આખી દુનિયા એક પરિવારની જેમ તેને યાદ કરીને દુઃખી છે. સુતાપાએ કહ્યું-અમે બધાંએ કંઈ ગુમાવ્યું નથી પરંતુ પ્રાપ્ત કર્યું છે. જે પણ ઈરફાને અમને બધાને જે કંઇ શીખવ્યું, હવે તે કરવાનો અને આગળ વધવાનો સમય છે.
સુતાપાએ ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું ઈરફાને તેને મુશ્કેલ ઘડીમાં પણ ખુશ રહેવું અને મુશ્કેલીઓનો સામનો કરવાનું શીખવાડી દીધું છે. સુતાપાએ કહ્યું- ઈરફાનની આ વિજય યાત્રા બાદ અમે તેને જ્યાં દફનાવ્યો છે ત્યારે રાતરાણીનો છોડ રોપીશું. આ તેનો ફેવરિટ છોડ હતો. આ ઉગવામાં સમય લેશે પણ એક દિવસ ખીલશે અને તેની સુગંધ તેના ફેન્સ અને પરિવાર સુધી પહોંચશે.
ત્યારે ઈરફાન ખાનના મોટા દિકરા બાબીલે કહ્યું, અનિશ્ચિતતાની લયમાં ખુદને સમર્પિત કરવાનું અને વિશ્વમાં તમારા વિશ્વાસ પર ભરોસો કરતા શીખો. જ્યારે ઈરફાનના નાના દિકરા અયાને કહ્યું, તમારા મનને કાબૂમાં કરતાં શીખો અને તેને પોતાને કાબૂમાં ન કરવા દો.
તમને જણાવી દઈએ કે, સુતાપાએ તેની ફેસબુક પ્રોફાઈલનો ફોટો બદલીને એક સ્ટ્રોન્ગ મેસેજ લખ્યો છે. સુતાપાએ ઈરફાન સાથેની તેની તસવીર શેર કરતા લખ્યું- મેં કંઈ ગુમાવ્યું નથી પરંતુ મેળવ્યું છે. આ ફોટોમાં ઈરફાન પત્ની સાથે સ્માઈલ કરતા પોઝ આપી રહ્યો છે.