Bihar Bridge Collapsed News: નવેમ્બર 2014માં સીએમ નીતીશના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ નવ વર્ષ પછી પણ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી
બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાઇ
બ્રિજ ધરાશાઈ થવા મામલે રાજકીય ગરમાવો
ભાજપે ભ્રષ્ટાચારના આરોપ લગાવતા નીતિશ સરકારને ઘેરી
સમાજવાદી પાર્ટી તરફથી નીતિશ કુમારને મળ્યું સમર્થન
બિહારના ભાગલપુરમાં રવિવારે ગંગા નદી પર 1700 કરોડના ખર્ચે બની રહેલો પુલ ધરાશાઇ થયો હતો. આ તરફ હવે બ્રિજ ધરાશાઈ થવા મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, નવેમ્બર 2014માં સીએમ નીતીશના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ નવ વર્ષ પછી પણ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ શક્યું નથી.
આ મામલામાં એક તરફ ભાજપે ભ્રષ્ટાચારના આરોપ લગાવતા નીતિશ સરકારને ઘેરી છે તો બીજી તરફ સપાને નીતિશનું સમર્થન મળ્યું છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે, આ પુલ પહેલાથી જ તોડી નાખવાનો હતો. હવે પડી ગયો તો પડી ગયો. કોઈપણ રીતે આ દેશમાં દરેક બાબત પર રાજનીતિ થઈ રહી છે અને દરેક કરી રહ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 4, 2023
ભાજપે નીતિશ-તેજશ્વીના રાજીનામાની માંગ કરી
પુલ ધરાશાયી થયા બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. ભાજપે આ મામલે મહાગઠબંધન સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના રાજીનામાની માંગ કરી છે. રાજ્ય સરકાર પર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, કાકા-ભત્રીજા (નીતીશ-તેજશ્વી)એ પુલ તૂટી પડવાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ.
#WATCH | The bridge that collapsed yesterday had collapsed last year also. I have instructed officials to take strict action. It is not being constructed correctly that's why it is collapsing again & again. The department will look into it & action will be taken: Bihar CM Nitish… pic.twitter.com/Y8m5Zo5Kka
બ્રિજ યોગ્ય રીતે નથી બની રહ્યો: નીતિશ કુમાર
નીતિશ કુમારે કહ્યું કે, થોડા સમય પહેલા પણ આવું થયું હતું. અમે પૂછ્યું હતું કે આવું કેમ થયું. અમે તેને લાંબા સમય પહેલા બનાવવાનું નક્કી કર્યું છે. 2012માં તેને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે 2014માં બનાવવાનું શરૂ કર્યું. જેને (કોન્ટ્રાક્ટ) આપવામાં આવ્યો હતો, તે આટલા લાંબા સમયમાં કેમ કરી રહ્યો છે? પહેલા પણ પડ્યું હતુ. 1 વર્ષ પહેલા પણ અમે કહ્યું હતું કે, ગઈકાલે ફરી આ ઘટના ઘટી હતી. અમે વિભાગના લોકોને જોઈને પગલાં લેવા જણાવ્યું હતું.
બ્રિજની ડિઝાઇનમાં ખામી: તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવે પુલ તૂટી પડ્યા બાદ કહ્યું કે, આવું પહેલીવાર નથી બન્યું, એપ્રિલ 2022માં પણ આ નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો હતો અને અમે વિપક્ષના નેતા રહીને તેના પર સવાલો ઉઠાવ્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટનું કામ સંભાળ્યા પછી અમે IIT રૂરકી દ્વારા બ્રિજની તપાસ કરાવી જેના આધારે બ્રિજની સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં ખામી જોવા મળી. આ પછી ક્ષતિગ્રસ્ત ભાગને ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પોલીસના થાંભલા નંબર પાંચ અંગે અત્યારે IIT બોમ્બેનો રિપોર્ટ આવવાનો છે. અમે આ બ્રિજ અંગે આશંકા વ્યક્ત કરી હતી.
નીતિશે વર્ષ 2014માં શિલાન્યાસ કર્યો
મુખ્યમંત્રી નીતિશ કુમારે 23 ફેબ્રુઆરી 2014ના રોજ આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનું નિર્માણ એસપી સિંગલા નામની કંપની કરી રહી છે. આ ત્રણ કિલોમીટર લાંબા પુલનું લગભગ 80 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ પુલનું ઉદ્ઘાટન આ વર્ષે નવેમ્બરમાં થવાનું હતું, પરંતુ તેના પાંચ મહિના પહેલા જ નિર્માણાધીન પુલનો મોટો ભાગ ગંગામાં ડૂબી ગયો હતો.
આ બ્રિજ ખાગરિયાને ભાગલપુર સાથે જોડશે
બિહારના ભાગલપુર જિલ્લામાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર આ ફોર લેન પુલ બનાવવામાં આવી રહ્યો હતો. આ બ્રિજ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજના નિર્માણ બાદ ખાગરિયાથી ભાગલપુરનું 90 કિલોમીટરનું અંતર ઘટીને માત્ર 30 કિલોમીટર થઈ જશે.