ઉદયપુરમાં મંગળવારે એક નિર્દોષ ટેલર કન્હૈયાલાલની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાને આ ઘટનાની નિંદા કરી છે.
ઉદયપુરમાં એક નિર્દોષ ટેલર કન્હૈયાલાલની હત્યા કરાઈ
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાને ઘટનાની નિંદા કરી
કોઈના જીવનને નુકસાન પહોંચાડવુ એટલે માનવતાને નુકસાન પહોંચાડવુ
ઈરફાન પઠાને ઉદયપુરની ઘટનાની નિંદા કરી
રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે માનવતાને નેવે મુકી દે તેવી ઘટના ઘટી છે. કન્હૈયાલાલની હત્યાએ આખા દેશમાં હોબાળો મચાવી દીધો છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાને આ ઘટનાની નિંદા કરી છે. ઈરફાન પઠાનનુ કહેવુ છે કે કોઈના જીવનને પણ નુકસાન પહોંચાડવાનો અર્થ માનવતાને નુકસાન પહોંચાડવાનો થાય છે.
ઉદયુપરમાં બે લોકોની કરવામાં આવી હતી હત્યા
ઈરફાન પઠાને ટ્વિટ કરી આ ઘટનાને ખૂબ શરમજનક ગણાવી. તેમણે કહ્યું, આ વાતથી કોઈ પણ ફરક પડતો નથી કે તમે કયા ધર્મ પર વિશ્વાસ કરો છો. પરંતુ જો તમે કોઈ નિર્દોષના જીવનને નુકસાન પહોંચાડો છો તો આખી માનવતાને નુકસાન પહોંચાડવા સમાન છે. મહત્વનું છે કે ઉદયપુરમાં મંગળવારે 28 જૂને ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા ટેલર કન્હૈયાલાલની બે લોકોએ હત્યા કરી દીધી. એટલું જ નહીં, હત્યારાઓએ કન્હૈયાલાલની હત્યાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યુ.
No matter which faith you follow. HURTING AN INNOCENT LIFE IS LIKE HURTING THE WHOLE HUMANITY.
આ ઘટના બાદ ઉદયપુર સહિત રાજસ્થાનમાં તણાવની સ્થિતિ છે. રાજસ્થાન સરકારે હાલમાં રાજ્યમાં કલમ 144 લાગુ કરી છે. આ સાથે રાજસ્થાનમાં અનેક સ્થાનો પર ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું છે.