ભારતીય ક્રિકેટમાં સ્વિંગના કિંગથી જાણીતા ઇરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.
ઇરફાન પઠાણે શનિવારે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી
2003માં પહેલી વખત ટીમ ઇન્ડિયા માટે રમનારા ઇરાફાન પઠાણ 2012 થી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે.
તે ગત રણજી ટ્રોફી જમ્મૂ કાશ્મીરની તરફથી રમ્યા હતા અને ટીમને કોચિંગ પણ આપ્યુ હતુ.
ભારતીય ક્રિકેટમાં સ્વિંગના કિંગથી જાણીતા ઇરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા કહ્યુ કે, ''આજે હું તમામ પ્રકારના ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસ લઇ રહ્યો છું. આ સમય મારા માટે ભાવુક છે, પરંતુ આ સમય તમામ ખેલાડીના જીવનમાં આવે છે. નાની જગ્યાથી છુ અને મને સચિન તેંડુલકર તથા સૌરભ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાનો મૌકો મળ્યો, જે તમામની ઇચ્છા હોય છે.''
Indian cricketer Irfan Pathan announces retirement from all formats of cricket. (File pic) pic.twitter.com/X6NiBVhbCU
આ સાથે જ ઇરફાને પોતાની ટીમના તમામ સભ્યો, કોચ, સપોર્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો. તેણે કહ્યુ કે,'' હું તમામ સાથીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફનો આભાર માનું છુ જેમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે. હું આ રમતને ઑફિશ્યલી છોડી રહ્યો છું જેનાથી મને સૌથી વધારે પ્રેમ છે .'' પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરતા ઇરફાન ભાવુક થયો ગયો. તમને જણાવી દઇએ કે, ઇરફાને પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ ક્રિકેટ સાઉથ આફ્રિકાના વિરુદ્ઘ 2 ઓક્ટોબર, 2012 ના રમી હતી, જે T-20 હતી.
ઇરફાન પઠાણના કરિયરની વાત કરવામાં આવે તો તેણે ટીમ ઇન્ડિયા માટે 29 ટેસ્ટ રમી છે, આ દરમિયાન 31.57ની એવરેજ થી 1105 રન કર્યા, જેમાં 1 સેન્ચુરી અને 6 હાફ સેન્ચુરી છે. પોતાના નામે 32.26ની એવરજેથી 100 વિકેટ છે, જ્યારે બેસ્ટ બૉલિંગ 59 રન આપીને 7 વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેણે 2 વખત 10 અને તેનાથી વધારે વિકેટ, 7 વખત 5 વિકેટ અને 2 વખત 4 વિકેટ ઝડપી.
વનડે કરિયરમાં આ ઑલરાઉન્ડરે 120 મેચ રમી અને 23.39 ની એવરેજથી 1544 રન કર્યા, તેના નામે 5 હાફ સેન્ચુરી પણ છે જ્યારે 173 વિકેટ પણ પોતાના નામે કરી. T 20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે 24 મેચમાં તેણે 172 રન કર્યા અને 28 વિકેત પોતાના નામે કરી.
તો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઇરફાન પઠાણે શાનદાર રમત રમી. ઇરફાને 103 મેચમાં 1139 રન કર્યા અને 80 વિકેટ પોતાના નામે કરી.