આર્યલેન્ડના PM લિયો વરાડકર રવિવારે મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગમાં પોતાના પૈતૃક ગામે પહોંચ્યા હતા. તેઓ પોતાના પરિવારના સભ્યોની સાથે ભારત પ્રવાસે આવ્યા છે.
આર્યલેન્ડના PMનો ભારત પ્રવાસ
મહારાષ્ટ્રના પૈતૃક ગામની મુલાકાતે આવ્યા
સિંધુદુર્ગમાં પરિવાર સાથે માણી રહ્યા છે પ્રવાસ
જૂન 2017માં આર્યલેન્ડના PM બન્યા બાદ લિયો વરાડકર પહેલી વખત પોતાના પૈતૃક ગામે આવ્યા હતા. તેમનું ગામ વરદ મુંબઈથી 500 કિમી દૂર મલબાન જિલ્લામાં આવેલું છે.
આવું છે આર્યલેન્ડના PMનું ફેમિલી
વરાડકરના પિતા અશોક વરાડકર એક ડોક્ટર છે અને તેઓ વરદ ગામ સાથે જોડાયેલા છે. તેમના પિતા 1960માં યૂકે જઈને વસ્યા હતા. ગામલોકોએ PMનું સ્વાગત કર્યું. વરાડકરની 3 પેઢીઓ એકસાથે મળી. તેઓએ આ પળને ખાસ ગણાવી. આર્યલેન્ડના PM પોતાના પૈતૃક ગામના કુળદેવીના મંદિરે પણ દર્શન માટે પહોંચ્યા હતા.
PMએ ગણાવી ફેમિલી વિઝિટ
આર્યલેન્ડના પીએમે કહ્યું હું અહીં મારા પેરન્ટ્સ, બહેનો અને તેમના પરિવાર અને મારા પાર્ટનર અને બાળકો સાથે એન્જોય કરવા આવ્યો છું, આ એક મોટી ફેમિલી વિઝિટ છે. હાલમાં તો હું પર્સનલ મુલાકાતે આવ્યો છું પરંતુ હું અધિકારીક રીતે પણ મારા પૈતૃક ગામની મુલાકાતે આવવાની કોશિશ કરીશ.