IRDAએ ઈન્શ્યોરન્સ કંપનીઓને નવા પ્રકરાના પ્રોડક્ટ તૈયાર કરવા માટે જણાવ્યું
ઈન્શ્યોરન્સ પોલિસીને લઈને મોટા સમાચાર
IRDAએ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટમાં ફેરફારના આપ્યા આદેશ
ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પોલિસી પ્રોડક્ટ્માં ફેરફારના આદેશ
કોરોનાકાળમાં સારવારની રીતો ઘણી બદલાઈ ગઈ છે. લાખો લોકોએ કોરોના મહામારીમાં પોતાના ઘરે રહીને જ સારવાર લીધી છે. આ જરૂરીયાતને જોતા ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA)એ ઈન્શ્યોરન્સ કંપનીઓને નવા પ્રકરાના પ્રોડક્ટ તૈયાર કરવા માટે જણાવ્યું છે. જેથી ઘર પર કોઈ બિમારીના ઈલાજના મામલામાં પણ હેલ્થ ઈન્શ્યોરન્સ કવર મળી શકે. કોરોના કાળમાં ઘર પર ઈલાજના મામલામાં ઈન્શ્યોરન્સ કવરેજની સફળતાને જોતા ઈરડાએ નવા પ્રકારે ઘર પર થતી સારવાર માટે કંપનીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે.
પહેલા જે પોલિસી લીધી છે તેનું શું?
ઈરડાની તરફથી ઈન્શ્યોરન્સ કંરનીઓને મોકલવામાં આવેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ ઈચ્છે તો પોતાના ગ્રાહકોને અમુક રકમ લઈને પહેલાથી ચાલી રહેલા હેલ્થ ઈન્શ્યોરન્સમાં આ સુવિધા જોડીને આપી શકે છે અથવા હોમ કેર ટ્રીટમેન્ટ કવરેજની સાથે નવું પ્રોડક્ટ પણ લાવી શકે છે.
હોમ ટ્રીટમેન્ટમાં છે આ સુવિધા?
ઈરડાએ જણાવ્યા અનુસાર હોમ ટ્રીટમેન્ટ ઈન્શ્યોરન્સની હેઠળ ડોક્ટરની સલાહ પર કોઈ એવી બિમારીની સારવાર જો ઘર પર થઈ જાય છે તો તેના માટે હોસ્પિટલ જવાની જરૂર નથી તો તેને કવરમાં સામેલ કરવામાં આવે. હાલમાં સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર કરવા પર જ હેલ્થ ઈન્શ્યોરન્સનો ફાયદો આપવામાં આવે છે.
કંપનીઓને પણ થશે ફાયદો
વિડાલ હેલ્થના સંયુક્ત પ્રબંધ નિર્દેશક શંકર વાલીએ જણાવ્યું કે હોમ ટ્રિટમેન્ટ વાળા હેલ્થ ઈન્શ્યોરન્સ ઉત્પાદન સીમિત રીતે હજુ પણ ઉપલબ્ધ છે. પરંતુ ઈરડાના નવા સર્કુલરથી હોમ ટ્રીટમેન્ટના નવા પ્રકારના પ્રોડક્ટ કંપનીઓ લાવી શકે છે. તેનાથી ગ્રાહકોની સાથે કંપનીઓને પણ ફાયદો થશે.