થોડા દિવસોમાં નવા વર્ષનો પ્રારંભ થવાનો છે. એવામાં નવા વર્ષની રજા દરમ્યાન જો તમે ક્યાય ફરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે ઈન્ડિયન રેલવે કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન આકર્ષક ટૂર પેકેજની રજૂઆત કરી રહ્યું છે. જેના દ્વારા તમને 7 જ્યોતિર્લિગના દર્શન કરવાની તક મળશે. આ સાથે તમે સ્ટેચ્યુ ઑફ યુનિટીની યાત્રા પણ કરી શકશો.
નવા વર્ષે 7 જ્યોતિર્લિગના દર્શન કરવાની ઉત્તમ તક
IRCTCની વેબસાઈટ પર જઇ ઓનલાઈન બુકિંગ કરી શકશો
7 જ્યોતિર્લિગની સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટીની યાત્રા પણ કરી શકશો
તમે ઓનલાઈન બુકિંગ કરી શકશો
આઈઆરસીટીસીની તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, ભારત દર્શન સ્પેશિયલ ટૂરીસ્ટ ટ્રેન દેશના દરેક મહત્વપૂર્ણ સ્થળોને કવર કરીને સૌથી કિંમતી અને સર્વ સમાવેશીટૂર પેકેજમાંથી એક છે. આ ટૂર પેકેજ અને ભારત દર્શન સ્પેશિયલ ટૂરીસ્ટ ટ્રેનના બુકિંગ યાત્રી આઈઆરસીટીસીની વેબસાઈટ www.irctctourism.com પર જઇને ઓનલાઈન બુકિંગ કરી શકે છે. અથવા પછી બુકિંગ આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર, ઝોનલ કચેરીઓ અને પ્રાદેશિક કચેરીઓના માધ્યમથી પણ કરી શકાય છે.
7 જ્યોતિર્લિગ યાત્રા અને સ્ટેચ્યુ ઑફ યુનિટીની યાત્રા
7 જ્યોતિર્લિગોની સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટીની યાત્રા 04.01.2022થી શરૂ થશે. એટલેકે આખુ ટૂર પેકેજ 12 રાત અને 13 દિવસનું થશે. ઉલ્લેખનીય છે કે, ભારત દર્શન સ્પેશિયલ ટૂરીસ્ટ ટ્રેન 04.01.2022ના રોજ ગોરખપુરથી રવાના થશે. આ દરમ્યાન મુસાફર ગોરખપુર, દેવરિયાસદર, બેલથરા રોડ, મઉ, વારાણસી, ભદોહી, ઝાંઘઈ, પ્રયાગરાજ સંગમ, પ્રતાપગઢ, ગૌરીગંજ, રાયબરેલી, લખનઉ, કાનપુર, ઝાંસીમાંથી બોર્ડિંગ કરી શકશે.
Popular tourist spots or world-famous pilgrim sites, cover the best of both on a single journey with this affordable all-incl. 13D/12N tour package. More details on https://t.co/mRi8iEPswr
આ ટૂર યાત્રા દરમ્યાન ઉજ્જૈન, વડોદરા, સોમનાથ, દ્વારકા, પુણે, પરલી વૈજનાથ, ઔરંગાબાદ અને નાસિક રોડ ડેસ્ટિનેશનને કવર કરવામાં આવશે. તો આ આખા ટૂર પેકેજ માટે મુસાફરોને 12,285 રૂપિયા ખર્ચવા પડશે. ઉલ્લેખનીય છે કે, આ ભાડામાં જીએસટી પણ સામેલ છે.