હોળીના તહેવારમાં દિલ્હીથી લખનઉ આવવા માટે ટ્રેન અને બસોમાં જગ્યા નહીં હોવાના કારણે યાત્રીઓ ખુબ જ પરેશાન રહે છે. આવા યાત્રીઓ માટે આઇઆરસીટીસી તેજસ એક્સપ્રેસમાં વધારાના કોચ લગાવીને તેમને રાહત આપી શકે છે.
હોળી દરમિયાન યાત્રિઓને ટ્રેન અને બસમા જગ્યા નહીં મળવાના કારણે ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. હોળી પર દિલ્હીથી લખનઉ આવનારા યાત્રીઓને તેજસ રાહત આપી શકે છે. દિલ્હી અને લખનઉની વચ્ચે ચાલતી દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં આઇઆરસીટીસીએ ત્રણ વધારાના કોચ લગાવવાની તૈયારી કરી લીધી છે. આઇઆરસીટીસીના અધિકારીઓનું કહેવું છે કે તેનાથી યાત્રીઓને ખુબ જ રાહત મળશે. બીજી તરફ ડાયનેમિક સિસ્ટમવાળી ટ્રેનમાં ટિકિટના ભાવ ઘણા વધી ગયા છે.
આઇઆરસીટીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર છ, સાત અને આઠ માર્ચના રોજ નવી દિલ્હીથી તેજસ એક્સપ્રેસમાં બે એસી ચેરકાર અને એક એક્ઝિક્યુટીવ એસી કોચ લગાવાશે. તેમાં વેઇટિંગના તમામ યાત્રીઓની ટિકિટ કન્ફર્મ થવા ઉપરાંત અન્ય યાત્રીઓને પણ સુવિધા મળી શકે છે. આજ રીતે હોળી બાદ પણ લખનઉથી દિલ્હી જતા યાત્રીઓને પણ તેજસમાં સીટ મળવાની ખાસી આશા છે. હોળી બાદ લખનઉથી પરત જવા માટે 11 માર્ચથી ભીડ વધશે. 11 માર્ચના રોજ શતાબ્દી તેમજ હમસફરમાં જગ્યા મળશે, પરંતુ ભાડુ ઘણુ મોંઘુ છે.
સ્પેશિયલ બસો પણ રાહત આપશે
હોળી મનાવવા માટે દિલ્હીથી લખનઉ આવવા માટે રોડવેઝ 6 માર્ચથી 15 માર્ચ સુધી આનંદ વિહાર બસ ટર્મિનલ અને કોશામ્બીથી વધુ બસો ચલાવાશે. દિલ્હી રુટ પર સૌથી વધુ ભીડ હોવાના કારણે નિગમ પ્રશાસનની વધારાની બસોએ પણ ઓનલાઇન બુકિંગ શરુ કરી દીધુ છે. વધારાની બસોમાં એડવાન્સ બુકિંગ રોડવેઝની વેબસાઇટ http://upsrtc.com પર થવા લાગ્યુ છે.