આપ ઓછાં બજેટમાં શિરડી, જ્યોતિર્લિંગ, સ્ટેચ્યુ ઓફ યૂનિટી સહિત અન્ય જગ્યાઓનો જો પ્રવાસ કરવા ઇચ્છો છો તો આપને ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ખાસ મોકો આપી રહેલ છે. IRCTC ખૂબ જ વ્યાજબી ભાવમાં 7 સ્થળોનો પ્રવાસ કરાવશે. આ ટૂર દરમ્યાન મુસાફર પોતાની સંપૂર્ણ મુસાફરી રેલ્વે દ્વારા કરશે.
ન્યૂ દિલ્હીઃ જો આપ ઓછાં બજેટમાં શિરડી, જ્યોતિર્લિંગ, સ્ટેચ્યુ ઓફ યૂનિટી સહિત અન્ય જગ્યાઓનો જો પ્રવાસ કરવા ઇચ્છો છો તો આપને ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ખાસ મોકો આપી રહેલ છે. આઇઆરસીટીસી ખૂબ જ વ્યાજબી ભાવોમાં 7 સ્થળોનો પ્રવાસ કરાવશે. જેમાં ઓમકારેશ્વર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભીમાશંકર, શેરડી, ત્ર્યંમ્બકેશ્વર અને ધૃષ્ણેશ્વર અને જ્યોતિર્લિંગનાં દર્શન શામેલ છે. આઇઆરસીટીસીનાં આ પેકેજનું નામ 'શિરડી જ્યોતિર્લિંગ એન્ડ સ્ટેચ્યુ ઓફ યૂનિટી યાત્રા (NZBD249)' છે. આ ટૂર દરમ્યાન મુસાફર પોતાની સંપૂર્ણ મુસાફરી રેલ્વે દ્વારા કરશે.
ટૂરની શરૂઆત હરિદ્રારથી થશેઃ
આ ટૂરની શરૂઆત19 જુલાઇ 2019થી હરિદ્વારથી થશે. આ ટૂર 9 રાત અને 10 દિવસની છે. આપ હરિદ્વાર સિવાય આ ટ્રેનનાં અન્ય બોર્ડિંગ પોઇન્ટ્સ જેવાં રૂડકી, દેવબંદ, મુઝફ્ફરનગર, મેરઠ કૈંટ, ગાજિયાબાદ, દિલ્હી કૈંટ, રેવાડી, અલવર અને જયપુરથી પણ શામેલ થઇ શકે છે. આ ટ્રિપ 28 જુલાઇનાં રોજ પૂર્ણ થશે. આ ટૂર પેકેજમાં મુસાફરોનાં આવવા-જવાની ટિકિટ સાથે જ નાસ્તો, બપોરનું ખાવાનું અને રાત્રીનું ખાવાનું પણ શામેલ છે.
પેકેજની કિંમતઃ
જેનાં માટે તમે સૌ પ્રથમ https://www.irctc.co.in/ વેબસાઇટ પર જાઓ. પછી ઉપર લખેલ HOLIDAYS પર click કરો અને તેમાં Packages પર જઇને Tour Packages પર click કરો અને પછી તેમાં નીચેના આ પેકેજ પરની Detailsને Open કરજો. જેમાં આ પેકેજ અંગેની માહિતી આપવામાં આવેલ છે.
આ પેકેજ અંતર્ગત મુસાફરોને પ્રતિ વ્યક્તિ 9 હજાર 450 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. ટૂર દરમ્યાન મુસાફરોને સૌથી પહેલાં મહાબલેશ્વરનાં દર્શન કરાવવામાં આવશે. ટૂરથી સંબંધિત તમામ જાણકારી IRCTCની વેબસાઇટ પર આપવામાં આવી છે.