IRCTC Tour Package: જો તમે જ્યોતિર્લિંગના દર્શન કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે IRCTC એક ખાસ ઓફર લઈને આવ્યું છે. IRCTCના આ રેલ ટૂર પેકેજમાં તમે ખૂબ ઓછા પૈસામાં 7 જ્યોતિર્લિંગોના દર્શનનો લાભ ઉઠાવી શકો છો. આવો જાણીએ પેકેજ સાથે જોડાયેલી ડિટેલ્સ.
IRCTC લઈને આવ્યું ખાસ ઓફર
ઓછા પૈસામાં કરો 7 જ્યોતિર્લિંગોના દર્શન
જાણો પેકેજ સાથે જોડાયેલી ડિટેલ્સ
યાત્રીઓને આકર્ષિત કરવા માટે ભારતીય રેલવેના IRCTC દ્વારા અલગ અલગ પ્રકારના ટૂર પેકેજ સંચાલિત કરવામાં આવે છે અને આકર્ષક સ્કીમ પણ લોન્ચ કરવામાં આવે છે. એવામાં IRCTC શિવ ભક્તોને 7 જ્યોતિર્લિંગના દર્શન કરવાની તક આપી રહી છે.
આ પેકેજ દ્વારા તમે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ, દ્વારિકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ, ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શનની તક મળશે.
Seek otherworldy blessings as you visit seven #jyotirlingas and the Dwarkadhish temple on the 7 Jyotirlinga Yatra by Bharat Gaurav Tourist train.
IRCTCએ આપી જાણકારી
IRCTCએ ટ્વીટ કરી આ જાણકારી આપી છે. આ સંપૂર્ણ યાત્રા 9 રાત અને 10 દિવસની રહેશે. આ સંપૂર્ણ પેકેજ માટે પ્રતિવ્યક્તિ ભાડુ 18,466 રૂપિયાથી શરૂ છે. આ પેકેજ માટે ભાડુ તમે મહિનાના હપ્તામાં ભરી શકો છો. આ ટ્રેન ટૂર પેકેજની શરૂઆત ઉત્તર પ્રદેશના ગોરખપુરથી થશે.
આ ટૂર પેકેજમાં તમને ભારત ગોરવ ટૂરિસ્ટ ટ્રેનથી યાત્રાનો મોકો મળશે. ગોરખપુરના સાથે સાથે આ ટ્રેનમાં યાત્રી, વસ્તી, મનકાપુર, અયોધ્યા કેંટ, બારાબંકી, લખનૌઉ, કાનપુર, ઉરઈ, વીરાંગના લક્ષ્મીબાઈ અને લલિતપુર સ્ટેશનોથી બોર્ડિંગ ડિબોર્ડિંગ કરી શકશે.
ટૂર પેકેજની ખાસ વાતો
પેકેજનું નામ- 7 Jyotirling Yata By Bharat Gaurav Train (NZBG21)
ડેસ્ટિનેશન કરવ- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ, દ્વારિકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ, ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ, ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ
ટૂરનો સમયગાળો- 10 દિવસ/ 9 રાત
ટ્રાવેલ મોડ- રેલ
પ્રસ્થાનની તારીખ- 22 જૂન, 2023
કઈ રીતે કરી શકશો બુકિંગ?
આ ટૂર પેકેજ દ્વારા બુકિંગ યાત્રી IRCTCની વેબસાઈટ www.irctctourism.com પર ઓનલાઈન જઈને કરી શકે છે. તેના ઉપરાંત IRCTC યાત્રી સુવિધા કેન્દ્ર, અંચલ કાર્યાલયો અને ક્ષેત્રીય કાર્યાલયોમાં જઈને બુકિંગ કરી શકાશે.