ત્રણ રાત અને 4 દિવસના આ પેકેજ માટે ઓછામાં ઓછા 6355 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચ કરવા પડશે. આ પેકેજ દરમ્યાન કનિપકમ, તિરૂચાનુર, તિરૂમાલા અન શ્રીકાલહસ્તી ફેરવવામાં આવશે.
IRCTCની સાથે કરો તિરૂપતિ બાલાજીના દર્શન
ઓછામાં ઓછા 6355 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચ કરવા પડશે
આ પેકેજ દરમ્યાન આ સ્થળોએ ફેરવવામાં આવશે
IRCTC શાનદાર ટૂર પેકેજની કરી રહ્યું છે રજૂઆત
આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં સ્થિત તિરૂપતિ બાલાજીની આખા દેશમાં ઘણી માન્યતા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. આ ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર સ્થિત છે. જો તમારી પણ અહીં જવાની ઈચ્છા છે તો તમારા માટે ભારતીય રેલવેનો ઉપક્રમ આઈઆરસીટીસી ખૂબ શાનદાર અને કિફાયતી ટૂર પેકેજની રજૂઆત કરી રહ્યું છે. આ પેકેજ માટે તમારે ઓછામાં ઓછા 6355 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચવા પડશે.
IRCTCએ ટ્વિટર પર કરી છે જાહેરાત
‘Tirumala Balaji Darshanam Ex Nanded’ નામના આ ત્રણ રાત અને 4 દિવસના પેકેજની શરૂઆત મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં સ્થિત પૂર્ણા સ્ટેશનથી થશે. આઈઆરસીટીસીએ આ પેકેજની જાહેરાત તેના ટ્વિટર પરથી કરી છે. આ પેકેજ દરમ્યાન કનિપકમ, તિરૂચાનુર, તિરૂમાલા અન શ્રીકાલહસ્તી ફેરવવામાં આવશે.
આ પેકેજની શરૂઆત પૂર્ણા સ્ટેશનથી થશે. પેકેજના ખર્ચની વાત કરીએ તો આ પેકેજના સ્ટાન્ડર્ડ ક્લાસમાં ટ્રીપલ ઑક્યુપેન્સી પર વ્યક્તિ દીઠ ખર્ચ 6355 રૂપિયા છે. ડબલ ઑક્યુપેન્સી પર 6500 રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચ છે. તો સિંગલ ઑક્યુપેન્સીનો વ્યક્તિ દીઠ ખર્ચ 7555 રૂપિયા છે. 5 થી 11 વર્ષના બાળકો માટે બેડની સાથે 6070 રૂપિયા ચાર્જ છે. આ ઉપરાંત 5 થી 11 વર્ષના બાળકો માટે બેડ વગર 5695 રૂપિયા ખર્ચ આવશે.