કોરોના સંકટને કારણે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે લોકો ખૂબ જ ઓછું ટ્રાવેલ કરી શક્યા છે. માર્ચ પછી લગભગ 3 મહિનાના લાંબા લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં જ કેદ રહ્યા. એ પછી જૂનથી અત્યાર સુધી કેટલીક ટ્રેનો ચલાવવામાં આવી છે. ત્યારે હવે ફેસ્ટિવલ સીઝન શરૂ થઈ ચૂકી છે અને લોકો ફરવા જવાનું પણ વિચારી રહ્યાં છે. જોકે, કોરોના સંક્રમણના કેસ સતત સામે આવી રહ્યાં છે.
ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો આ ડીલ છે બેસ્ટ
IRCTC કેરળના 2 પેકેજ ઓફર કરી રહ્યું છે
ઓછી કિંમતમાં કરો કેરળનો પ્રવાસ
આ દરમિયાન સામાન્ય જન-જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે હવે રેલવે યાત્રીઓ માટે દક્ષિણ ભારતનું સ્પેશિયલ ટૂર પેકેજ લઈને આવ્યું છે. ભારતીય રેલવેની ટિકિટ વિંગ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) કેરળના 2 પેકેજ ઓફર કરી રહી છે.
પહેલો પેકેજ 6 દિવસ / પાંચ રાતનો છે અને તેમાં ત્રિસૂર અને મુન્નાર, કોચિ જેવા સ્થળો આવરી લેવામાં આવશે. આ ટૂર પેકેજની પ્રારંભિક કિંમત વ્યક્તિ દીઠ 10,450 રૂપિયા રાખવામાં આવી છે. સાથે જ, બીજો ટૂર પેકેજ પણ 6 દિવસ / પાંચ રાતનો છે અને વ્યક્તિ દીઠ પેકેજની પ્રારંભિક કિંમત 12,840 રૂપિયા છે.
આ પેકેજમાં યાત્રીઓને ત્રિસૂર, ગુરુવયૂર, મુન્નાર, કુમારકમ અને કોચિની મુસાફરી કરાવવામાં આવશે. મુસાફરો આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર https://www.irctctourism.com/ આ લિંક દ્વારા તેમના ટૂર પેકેજ બુક કરાવી શકે છે.
માતા વૈષ્ણો દેવી યાત્રા માટે પણ છે પેકેજ
જો તમે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું વિચારી રહ્યાં છો તો આઇઆરસીટીસીએ તેના માટે પણ ટૂર પેકેજ શરૂ કર્યું છે. આ પ્રવાસ 29 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યો છે. આ ટૂર પેકેજ આસ્થા સર્કિટ સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન અંતર્ગત આપવામાં આવશે. ટૂરની શરૂઆત બિહારના રાજગીરથી થશે. આ ટૂર પેકેજ 7 રાત અને 8 દિવસનો છે.