જો તમે પણ અંદામાન જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે IRCTCના આ ટૂર પેકેજનો લાભ લઈ શકો છો. જાણો આ પેકેજ વિશે.
IRCTC લઈને આવ્યું ખાસ પેકેજ
તમારા બજેટમાં ફરો અંદમાન-નિકોબાર
જાણો ટૂર પેકેજ વિશે બધુ જ
ભારતીય રેલ્વેનું ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તેના ગ્રાહકો માટે સમયાંતરે વિવિધ પ્રકારના ટૂર પેકેજ લાવે છે. આઝાદીનો અમૃત મહોત્સવ સેલિબ્રેટ કરવા માટે IRCTC 'દેખો અપના દેશ' હેઠળ IRCTC અંદામાન એમેરાલ્ડ્સ ટૂર પેકેજ લાવ્યું છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ ખૂબ જ સુંદર ટાપુ છે. આ યાત્રા કુલ 6 દિવસ અને 5 રાતની છે.
જો તમે પણ ઓગસ્ટ મહિનામાં અંદામાન જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે IRCTCના આ ટૂર પેકેજનો લાભ લઈ શકો છો. આ પેકેજમાં તમને પોર્ટ બ્લેર, પોર્ટ બ્લેર-નોર્થ બે આઇલેન્ડ, રોસ આઇલેન્ડ અને હેવલોક આઇલેન્ડ જેવા ઘણા સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. તો ચાલો તમને જણાવીએ આ પેકેજની ખાસ વાત-
Visit the paragon of beauty & catch the scenic beauty with a mesmerizing picturesque view with IRCTC air tour package starts at ₹33,500/- pp* for 6D/5N. For booking & more details, visit https://t.co/tsJiCii5Kz@AmritMahotsav