ગુજરાતની સમૃધ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત સાથે ગિરની મુલાકાત, થાર મરુસ્થળ અને કચ્છના રણની સુંદરતા હંમેશા પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. કૃષ્ણ જન્મસ્થળ દ્વારકાથી લઇને ભગવાન સોમનાથના રુપમાં 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતુ જ્યોતિર્લિંગ આ બધુ ગુજરાતમાં જ છે. જો તમે ગુજરાત ફરવા ઇચ્છતા હો અને જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(આઇઆરસીટીસી) તમારા માટે એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યુ છે.
આઇઆરસીટીસી એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યુ
અમદાવાદ, જુનાગઢ, ગીર, દીવ, સોમનાથ અને દ્વારકા ફરવાનો મોકો મળશે
આ ટુર કુલ છ રાત અને 7 દિવસની છે, 12 માર્ચે સવારે કોલકત્તાથી ફ્લાઇટ અમદાવાદ આવશે
આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર અપાયેલી જાણકારી મુજબ આ ટુર પેકેજનું નામ 'વાઇબ્રન્ટ ગુજરાત વીથ સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ડ રોમેન્ટીક દીવ એકસ કોલકત્તા' છે. આ ટુર પેકેજમાં તમને અમદાવાદ, જુનાગઢ, ગીર, દીવ, સોમનાથ, દ્વારકા ફરવાનો મોકો મળી રહ્યો છે. ટુરની શરુઆત 12 માર્ચ 2020ના રોજ કોલકત્તાથી થશે. કોલકત્તાથી યાત્રીઓ સવારે 9.40 વાગે પ્લેનમાં સવાર થશે. બપોરે 1.25 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટુર કુલ છ રાત અને 7 દિવસની છે.
આઇઆરસીટીસીના ટુર પેકેજમાં બંને તરફથી હવાઇયાત્રાની ટિકિટનો ખર્ચ, એસી રુમમાં રહેવાની વ્યવસ્થા, બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા, ફ્લાઇમાં એક બ્રેકફાસ્ટ અને એક ડિનરની વ્યવસ્થા, ટુર મેનેજર, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વગેરે સામેલ છે. આ પેકેજમાં સિંગલ ઓક્યુપેંસી માટે તમારે પ્રતિ વ્યક્તિ 36 હજાર રુપિયા ખર્ચવા પડશે. બે લોકો માટે બુકિંગ કરાવવાનો ખર્ચ પ્રતિ વ્યક્તિ 28,320 હશે. જ્યારે ટ્રિપલ ઓક્યુપેંસી માટે પ્રતિ વ્યક્તિ 27,510 રુપિયા ખર્ચવા પડશે. બેથી 11 વર્ષના બાળક માટે વિધાઉટ બેડ 24550 રુપિયા અને વીથ બેડ 25,870 રુપિયાનો ચાર્જ થશે.