ઉત્તર ભારતનાં પ્રવાસીઓ સસ્તામાં પૂર્વી ભારતીય પર્યટન સ્થળોની યાત્રા કરી શકશે. આઇઆરસીટીસીએ ભારત દર્શન યાત્રા સેવા અંતર્ગત એક વિશેષ ટ્રેન ચલાવી રહેલ છે કે જે સાત રાત્રી અને આઠ દિવસમાં પ્રવાસીઓને ગયાનું વિષ્ણુપદ મંદિર પૂરીનું જગન્નાથ મંદિર કોલકાતા પાસે ગંગાસાગર અને વૈદ્યનાથ ધામનું રાવણેશ્વર મહાદેવનાં દર્શન કરાવશે. યાત્રાનાં પૂરા પેકેજ માટે 945 રૂપિયા પ્રતિદિનનાં હિસાબથી 7 560 રૂપિયાની ફી રાખવામાં આવેલ છે.
સફદરજંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થશે આ યાત્રાઃ
આઇઆરસીટીસીનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હરિયાણા અને ઉત્તર પ્રદેશનાં ધાર્મિક યાત્રીઓને ધ્યાનમાં રાખીને ભારત દર્શન ટ્રેન આગામી બે ડિસેમ્બરનાં રોજ દિલ્હીનાં સફદરજંગ રેલ્વે સ્ટેશનેથી રવાના થશે જેમાં મથુરા આગરા કેન્ટ ઇટાવા કાનપુર લખનઉ અને વારાણસીથી પણ યાત્રીઓ સવાર થઇ શકે છે.
આ ટ્રેન ગયાનાં પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિર ચારે ધામોમાંથી એક પુરીનું જગન્નાથ પુરી મંદિર કોણાર્કમાં સૂર્ય મંદિર કોલકાતા પાસે ગંગાસાગર કોલકાતાનું કાલી ઘાટ સ્થિત કાલી મંદિર અને ઝારખંડનાં વૈદ્યનાથ ધામ સ્થિત રાવણેશ્વર મહાદેવનાં દર્શન કરાવશે. વૈદ્યનાથ ધામ દર્શન દર્શન બાદ ટ્રેન પરત આવશે અને ત્યાર બાદ જે યાત્રી જે સ્ટેશનેથી ટ્રેનમાં ચડ્યાં હતાં તે જ સ્ટેશન પર ઉતરી જશે.
ફીમાં ભાડાં સાથે શામેલ છે તમામ આવશ્યક ખર્ચોઃ
આ પેકેજમાં પ્રતિદિન 945 રૂપિયાનાં હિસાબથી ફી નક્કી કરવામાં આવેલ છે. જેમાં સેવા કર પણ શામેલ છે. આ જ ફીમાં દરેક સમયે ખાવા-પીવાનું ચા રેલ્વે સ્ટેશનથી આરામદાયક બસોમાં પરિભ્રમણ જરૂરિયાત પડે તો ધર્મશાળા અથવા તો કોઇ ડોરમેટ્રીમાં રાત્રી વિશ્રામ પણ શામેલ છે.
આઇઆરસીટીસી તરફથી ચલાવવામાં આવેલ આ વિશેષ ટ્રેનમાં સુરક્ષાની પણ ચુસ્ત વ્યવસ્થા હોય છે અને જરૂરિયાત પડવા પર યાત્રીઓને ચિકિત્સાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભારત દર્શન યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેથી સસ્તામાં લોકો દેશનાં દર્શન કરી શકે.
જ્યારે આ યોજના શરૂ કરાઇ હતી તે જ સમયે આની દૈનિક ફી 500 રૂપિયા હતી. પરંતુ સમયાંતરે મોંઘવારીની અસર આની પર પણ થતાં આની ફી હવે વધારીને 945 રૂપિયા પ્રતિદિન કરી દેવામાં આવેલ છે.