દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવે દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી હતી કે હવે ટ્રેનમાં ચાદર આપવામાં આવશે નહીં. વેસ્ટર્ન રેલવેના પીઆરઓના જણાવ્યા અનુસાર, એસી કોચમાં સફર કરનાર મુસાફરોને હવે ઓઢવા માટેની ચાદર નહીં આપે.
કોરોના વાયરસથી લડવા ભારતીય રેલવે સજ્જ
AC કોચમાં ઓઢવા માટે અપાતી ચાદર કરાઈ બંધ
વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી
તેમણે જણાવ્યું હતું કે, ચાદરની દરરોજ સફાઇ થતી નથી માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ યાત્રીઓને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી દરમિયાન ઓઢવા માટેની ચાદર સાથે લઇને જ આવે.
જો કે, વિભાગનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે એસી કોચનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયલ ફિક્સ રાખવામાં આવે, જેથી મુસાફરોને ડબ્બામાં ચાદરની જરૂર ન પડે.
Western Railway PRO (Public Relations Officer): As per the extant instructions, curtains and blankets provided in AC coaches are not washed every trip. In order to prevent spread of #COVID19 blankets and curtains should be immediately withdrawn from service till further orders. pic.twitter.com/EhTHrP5gkL
રેલ્વેએ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા આ પ્રકારનો નિર્ણય લીધો છે. મુસાફરોને રેલ્વે તરફથી ચાદર આપવામાં આવશે નહીં. મુસાફરો પોતાના માટે ઘરેથી ચાદર લઇને આવે તેવી અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના પીઆરઓ વતી નિવેદન જાહેરી કરીને એવું કહેવામાં આવ્યું હતું કે એસી કોચમાં મળતી ચાદર દરરોજ સાફ કરવામાં આવતા નથી. તેથી મુસાફરોએ તેમની પોતાની ચાદર સાથે પ્રવાસ કરવો જોઈએ.
તમામ ટ્રેનમાં કરવામાં આવી રહ્યા છે ઉપાય
આ સિવાય સંક્રમણને રોકવા માટે એસીના તમામ કોચમાંથી કેટલાક દિવસ માટે પડદો હટાવી લેવાશે. કોરોનાના કહેરથી બચવા માટે પૂર્વ મધ્ય રેલવેએ કેટલાક અગત્યના પગલા લીધા છે.