IRCTC દ્વારા સપ્ટેમ્બર મહિનાના દર શુક્રવારે વૈષ્ણો દેવી મંદિરે દર્શન માટે જવા માટે ખાસ ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. વીકેન્ડમાં તમે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ પ્લાન તમારા માટે બેસ્ટ હોઈ શકે છે. રૂ 15,655માં થર્ડ એસીમાં તમે 5 રાત અને 6 દિવસની મુસાફરી સરળતાથી કરી શકો છો. વૈષ્ણો દેવી મંદિર જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી પહાડી પ્રદેશમાં આવેલું છે. કટરાથી 12 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર 5200 ફૂટની ઊંચાઈ પર છે.
કંઈક આ પ્રકારનું છે ટૂરનું પેકેજ
6 સપ્ટેમ્બર શુક્રવારે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 19223 એડીઆઈ જેટ એક્સપ્રેસ 11.20 કલાકે ઉપડશે. આખી રાત ટ્રેનમાં જર્ની. બીજા દિવસે 19.35 કલાકે જમ્મુ પહોંચાડશે, અને ત્યાંથી કટરાની હોટેલમા ચેકઈન કરવાનું રહેશે ત્યારબાદ ડિનર અને આખી રાત કટરામાં રહેવાનું.
ત્રીજા દિવસે કટરા વૈષ્ણોદેવીઃ સવારે બ્રેકફાસ્ટ કર્યા બાદ માતા વૈષ્ણોદેવીના દર્શન માટે રવાના. સાંજે હોટેલ પરત ફર્યા બાદ ડિનર અને આખી રાત કટરામાં રોકાવાનું.ચોથા દિવસે બ્રેકફાસ્ટ કર્યા બાદ કટરાથી શિવખોરીની મુલાકાતે જે ભાગવાન શિવની ગુફા છે. આખી રાત જમ્મુમાં રોકાવાનું.
પાંચમાં દિવસે સવારે નાસ્તો કર્યા બાદ જમ્મુ રેલવે સ્ટેશનથી ટ્રેન નંબર 19224 એડીઆઈ જેટ એક્સપ્રેસ 10.25 કલાકે ઉપડશે. આખી રાત ટ્રેનમાં જર્ની. અને છઠ્ઠા દિવસે 15.00 કલાકે અમદાવાદમાં આગમન અને ટૂરનો અંત.
ભાડું
ટૂર પેકેજનું ભાડું એક વ્યક્ત દીઠ રૂ. 15,655 છે, જ્યારે ડબલ શેરિંગ ભાડું 10, 740 રૂપિયા છે. ટ્રિપલ શેરિંગનું ભાડું 10, 210 રૂપિયા છે. અને જો તમારી સાથે બાળક હોય તો તેનું ભાડું 8,420 રૂપિયા છે.
બુકિંગ
આ ટૂર પેકેજને ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. તેમજ વધુ માહિતી માટે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને પણ બુક કરાવી શકાય છે.