21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. શિવજીના આ ખાસ તહેવારને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન ( IRCTC ) એક ખાસ ટૂર પેકેજ લાવ્યું છે. આ ટૂર પેકેજના આધારે તમે 9 જ્યોર્તિલિંગના દર્શન કરી શકો છો. 12 રાત અને 13 દિવસના આ પેકેજનું નામ છે મહાશિવરાત્રિ 9 જ્યોર્તિલિંગ યાત્રા. તેની શરૂઆત તમિલનાડુના તિરુનેલવેલ્લીથી 19 ફેબ્રુઆરીએ થશે.
21 ફેબ્રુઆરીએ ઉજવાશે મહાશિવરાત્રિ
પ્લાન કરી લો 9 જ્યોર્તિલિંગના દર્શન
IRCTC તમને આપી રહ્યું છે ખાસ પેકેજ
9 જ્યોર્તિલિંગના કરી શકશો દર્શન
ટૂર પેકેજના આધારે ભગવાન શિવના 9 જ્યોર્તિલિંગના દર્શન કરી શકાશે. જેમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર , ઉજ્જૈનનું મહાકાળેશ્વર, ગુજરાતનું સોમનાથ, મહારાષ્ટ્રનું ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, ગૃન્નેશ્વર, ઔંધાનું નાગનાથ, પર્લીનું વૈજનાથ અને તેલંગાનાનું મલ્લિકાર્જુન સ્વામીનું મંદિર પણ સામેલ છે.