મુંબઇમાં મૂશળધાર વરસાદને કારણે ફરી એકવાર લોકોની મુસીબતમાં વધારો થયો છે. શહેરમાં વરસાદનું પાણી રસ્તા અને રેલવે ટ્રેક પર ભરાઈ ગયા છે. તેથી પશ્ચિમ રેલવે હેઠળ મુંબઇ રેલવેને ટ્રેનોના સંચાલનમાં ખાસી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ઘટાડવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરી બતાવ્યું કે, રવિવાર રાત 361 મિમી સાથે ભારે વરસાદ પડ્યો. માત્ર મુંબઇ ડિવિઝનના પાલઘરમાં સવારે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે 100 મિમી વરસાદ પડ્યો. જેના પગલે મુંબઇ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો છે અથવા તેમને આશિંક રૂપે રદ્દ કરવામાં આવી છે. રેલવેના વરિષ્ઠ અધિકારી તેના પર નજર રાખી રહ્યા છે.
સેન્ટ્રલ રેલવે સીપીઆરઓએ જણાવ્યું કે ઘાટ સેક્શનમાં કજરત અને લોનાવાલા પાસે જામબ્રંગ અને ઠાકુરવાડી વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે 10 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. 4 ટ્રેન કલ્યાણ ઇગતપુરી મનમાડ રસ્તે ચલાવામાં આવી રહી છે. જ્યારે 4 ટ્રેનનું અંતર ઘટાડવામાં આવ્યું છે.
Train movement has been started at Palghar in Mumbai Division at 08.05 hrs (1/7/19). It was stopped after very heavy rains {361 mm}. Here is the consolidated details of cancellation/short termination etc. #WRUpdatespic.twitter.com/dVy7f5y7e9
12922 સૂરત-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનને નવસારી, 19004 ભુસાવલ-બાંદ્રા ટર્મિનસને ભોઇસર, 59038 સૂરત-વિરારને બિલિમોરિયા અને 59024 વલસાડ-મુંબઇ સેન્ટ્રલ ટ્રેનને ઉદવડામાં જ રોકીને યાત્રા સમાપ્ત કરવામાં આવી છે. જ્યારે 12009 મુંબઇ-અમદાવાદ શતાબ્દીના પ્રસ્થાનનો સમય સવારે 6:30 વાગ્યેથી એક કલાક આગળ વધારીને 7:30 કરવામાં આવ્યો છે.