ભારતીય રેલવે લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન માત્ર શ્રમિક સ્પેશિયલ, અન્ય સ્પેશિયલ ટ્રેનો, પાર્સલ સેવાઓ અને માલગાડી ચલાવશે. સરકારે લોકડાઉનને ચોથા તબક્કામાં 31 મે સુધી લંબાવી દીધું છે. ભારતીય રેલવેએ તેની તમામ નિયમિત પેસેન્જર ટ્રેનોનું કાર્ય 30 જૂન સુધી બંધ કરી દીધું છે. રેલવેએ જણાવ્યું હતું કે રેલવે કામગીરીને લઇને લોકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અમલમાં રહેશે. ત્રીજો તબક્કો રવિવાર 17 મે સુધી અમલમાં હતો.
રેલવે કામગીરીના નિયમોમાં કોઈ ફેરફાર નહીં
15 જોડી રેલ ગાડીનું સંચાલન ચાલુ રહેશે
ટિકિટ બુક કરવાના નિયમો પાળવા પડશે
15 જોડી રેલ ગાડીનું સંચાલન ચાલુ રહેશે
દેશમાં 25 માર્ચથી અમલમાં મુકવામાં આવેલા લોકડાઉનના તમામ તબક્કામાં પાર્સલ સેવાઓ અને માલવાહક ટ્રેનોનું સંચાલન ચાલુ હતું. તે જ સમયે રેલવેએ પરપ્રાંતિય મજૂરોને તેમના રાજ્યમાં લઈ જવા માટે 1 મેથી લેબર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી હતી. તે જ સમયે રાજધાની એક્સપ્રેસના રૂટ પરના સામાન્ય માર્ગદર્શિકા હેઠળ સામાન્ય લોકો માટે 15 જોડી રેલગાડીનું સંચાલન કાર્યરત છે.
રેલવે કામગીરીના નિયમોમાં કોઈ ફેરફાર નહીં
ભારતીય રેલવેના પ્રવક્તા આર.ડી. વાજપેયીએ કહ્યું કે, રેલવે કામગીરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે લોકડાઉનના ત્રીજા તબક્કા મુજબ રહેશે. કામદારોની વિશેષ અને 15 જોડીની અન્ય વિશેષ ટ્રેનો સતત ચાલુ રહેશે. તે જ સમયે પાર્સલ સેવા અને માલવાહક ટ્રેન પણ કાર્યરત થશે.
ટિકિટ બુક કરવાના નિયમો
અહીં બેંગ્લોર જઇ રહેલી વિશેષ ટ્રેનના મુસાફરોને ક્વોરેન્ટાઇન પર જવાની ના પાડી દીધા પછી આઈઆરસીટીસીએ નિર્ણય લીધો છે કે જે લોકો ગંતવ્ય રાજ્યોના ક્વોરેન્ટાઇન પ્રોટોકોલનું પાલન કરવા માટે સંમત થાય છે તેમને જ તેના પોર્ટલ પર ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે. નવો નિયમ તેની વેબસાઇટ પર લખવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે 'મે મારા લક્ષ્ય સ્થાન રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવેલ આરોગ્ય પરામર્શ વાંચ્યા છે. હું તેને સ્વીકારું છું અને તેનું પાલન કરીશ. આમાં મુસાફરે ટિકિટ બુક કરવા માટે 'હું સંમત છું' પર ક્લિક કરવું પડશે. 14 મેના રોજ દિલ્હીથી, બેંગલુરુ આવેલા 50 જેટલા મુસાફરોએ અલગ ક્વોરેન્ટાઈન કેન્દ્રમાં જવાની ના પાડી અને સ્ટેશન પર હંગામો મચાવ્યો. ત્યારબાદ આ નિયમ બનાવવામાં આવ્યો છે.