ભારતીય રેલ્વેએ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને ટ્રેનમાં ભીડ ઓછી કરવા માટે 150 નવી ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. વેસ્ટર્ન રેલ્વે 350 ટ્રેન પહેલાંથી ચલાવી રહી છે અને હવે 150 ટ્રેન વધારે ચલાવવા જઈ રહી છે. આ ટ્રેનો 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સિવાય 21 સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન ચલાવવાની જાહેરાત હતી. તેમાં 19 જોડી ટ્રેન ટિકિટ હમસફર એક્પ્રેસના ભાડા અનુસાર હશે.
કોરોના સંકટમાં રેલ્વોનો મોટો નિર્ણય
વેસ્ટર્ન રેલ્વે વધુ 150 ટ્રેન ચલાવશે
ટ્રેનમાં ભીડ ઓછી કરવા લેવાયો નિર્ણય
રેલ્વે અધિકારીઓની માનીએ તો ક્લોન ટ્રેન હાલમાં ચાલી રહી છે જેમાં 310 જોડી સિવાય છે. આ ટ્રેનોમાં સૌથી વધારે 22 ટ્રેન બિહારને મળશે. તે ત્યાંથી યાત્રીઓને લઈને જશે. આ સિવાય અનેક ટ્રેન બિહાર થીને પણ જશે, ઈન્ડિયન રેલ્વે દેશભરમાં પોતાના 7000 રેલ્વે સ્ટેશનોમાંથી લગભગ 1000 સ્ટેશનો પર યૂઝર ચાર્જ પણ લગાવવાની યોજના બનાવી રહી છે. આ કારણે ટ્રેનની ટિકિટ મોંઘી બનશે.
એરલાઈન્સ કંપનીના આધારે પ્રાઈવેટ ટ્રેન પણ જાતે જ પોતાનું ભાડું નક્કી કરી શકશે. પ્રાઈવેટ ટ્રેન શરૂ થયા બાદ સરકાર એ ટ્રેનને ઓપરેટ કરનારી કંપનીને આ છૂટ આપશે. ભારતના રેલ્વે બોર્ડના ચેરમેન વી કે યાદવે કહ્યું કે ખાનગી કંપનીઓને પ્રાઈવેટ ટ્રેનની જેમ ભાડું નક્કી કરવાની છૂટ મળષે. આ સાથે આ રૂટ પર એસી બસ અને પ્લેનની સુવિધા છે તો ભાડુ નક્કી કરતાં પહેલાં કંપનીઓએ આ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે.