તમારામાંથી ભાગ્યે જ કોઇ એવુ હશે જેણે રેલ્વેની મુસાફરી ના કરી હોય. ઘણા લોકો એવા પણ હશે જે કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતા હશે અને ઘણા લોકો IRCTCની વેસબાઇટ પરથી ઑનલાઇન ટિકિટ બુક કરતા હશે. ઑનલાઇન બુકિંગ દરમિયાન સૌથી મોટી સમસ્યા પેમેન્ટને લઇને થતી હોય છે. ઘણી વખત પેમેન્ટ માટે એટલો સમય લાગી જાય છે કે ટિકિટ વેટિંગ લિસ્ટમાં જતી રહે છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે IRCTC એક નવી સુવિધા લોન્ચ કરી છે જેની મદદથી તમે ચૂકવણી કર્યા વગર ટિકિટ બુક કરી શકશો. જાણીએ આ વિશે..
વાસ્તવમાં IRCTCએ અર્થશાસ્ત્ર પ્રાઇવેટ લિમિટેડના પાયલટ ઇ-પે લેટરની સાથે પાર્ટનરશિપ કરી છે જેથી રેલ્વેમાં સફર કરનારો યાત્રી ચૂકવણી કર્યા વગર ટિકિટ બુક કરી શકે અને પછી રૂપિયા આપી શકે. આ ઇ પે લેટરની જાણકારી IRCTCએ ટ્વીટ કરીને આપી છે.
આ સુવિધા હેઠળ તમે બુકિંગ દરમિયાન રૂપિયા આપ્યા વગર ટિકિટ લઇ શકો છો. જોકે તેનો મતલબ એમ નથી કે તમને ફ્રીમાં ટિકિટ મળશે. ટિકિટ મળ્યા પછી તમને 14 દિવસનો સમય મળશે જેની અંદર તમે ટિકિટની કિંમતની ચૂકવણી કરી શકો છો.
આ સુવિધા હેઠળ ગ્રાહકોને 3.5% સર્વિસ ચાર્જ આપવો પડશે. જો તમે 14 દિવસ પછી ચૂકવણી કરો છો તો વ્યાજ આપવાનું રહેશે. આ સિવાય જો તમે નક્કી સમયની અંદર ચૂકવણી કરો છો તો તમારી ક્રેડિટ લિમિટ પણ વધારી દેવામાં આવશે.
ચૂકવણી કર્યા વગર ટિકિટ બુક કરાવવી રીત:
- જો તમારી પાસે IRCTCનું એકાઉન્ટ છે તો સારી વાત છે અને નથી તો તમે IRCTCનું એકાઉન્ટ બનાવી શકો છો, જે પછી એકાઉન્ટ લોગઇન કરો અને ટિકિટ બુક કરો. પેમેન્ટ દરમિયાન તમારે ઇન્ટરનેટ બેંકિંગ સહિત ઘણા વિકલ્પ મળશે, તમે 7માં નંબર પર આવેલા pay on delivery/PayLater વિકલ્પ પર ક્લિક કરો.
- આ ક્લિક કર્યા પછી તમને ઇપે લેટરનો વિકલ્પ મળશે, જેના પર ક્લિક કર્યા પછી તમે ચૂકવણી કર્યા વગર ટિકિટ બુક કરી શકો છો. બુકિંગના 24 કલાકની અંદર તમારા એડ્રેસ પર ટિકિટ આવશે. જો તમે 14 દિવસની અંદર ચૂકવણી નથી કરતા તો તમારું એકાઉન્ટ બ્લોક થઇ શકે છે અને તમારા વિરુદ્ઘ કાર્યવાહી પણ થઇ શકે છે.