રિઝર્વેશનની ઈ-ટિકિટના નામે IRCTCના એજન્ટ ટિકિટ કાળાબજારમાં વેચે, જેમાં પેસેન્જર પૈસા આપીને ફસાય છે. અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ-રેલવે ટિકિટ કૌભાંડના પગલે RPF દ્વારા IRCTCના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી દરોડાનો રેલો અમદાવાદ સહીત ગુજરાતભરના પ્રવાસીઓને ફટકા રૂપે પડ્યો છે. પ્રવાસીઓએ ટિકિટ અને નાણાં બંને ગુમાવ્યા છે.
IRCTC ની પોર્ટલ પરથી સંખ્યાબંધ બનાવટી ઓળખપત્ર બનાવીને ઈ-ટિકિટ કઢાવનારા એજન્ટ પકડાયા
2.59 કરોડ રૂપિયાની લાઈવ ઈ-ટિકિટ અને કુલ 7.97 કરોડ રૂપિયાની ઈ-ટિકિટ જપ્ત કરવામાં આવી
અમદાવાદ સહિત ગુજરાતના અનેક પ્રવાસીઓએ ટિકિટ અને નાણાં બંને ગુમાવ્યા
અમદાવાદ સહીત ગુજરાતના હજારો રેલવે મુસાફરોને ટિકિટના નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે. આ સંખ્યા બહુ મોટી હોવાનું માનવામાં આવે છે. ઈ-ટિકિટ કૌભાંડના પગલે દરોડા દરમિયાન જપ્ત કરાયેલી ટિકિટોના વ્યવહારો રેલવે વિભાગે રદકર્યા છે. જેના પગલે જે રેલ મુસાફરોએ એજન્ટો મારફતે ટિકિટ કરાવી હતી, તેમની બુકીંગ રદ થતા ટિકિટ અને નાણાં બને ગુમાવવાનો વારો મુસાફરોના ફાળે આવતા પેસેન્જરો ચિંતામાં મુકાયા છે.
લાંબા અંતરની મેલ-એક્સ્પ્રેસ ટ્રેનની રિઝર્વેશનની ટિકિટનું શંકાસ્પદ IP એડ્રેસના આધારે એજન્ટો બુકિંગ કરી રહ્યા હોવાની માહિતીના આધારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP)ના IP એડ્રેસમાં સરપ્રાઈઝ ચેકિંગ રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)ના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. અને ઠેરઠેર રેડ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
IRCTC ની પોર્ટલ પરથી સંખ્યાબંધ બનાવટી ઓળખપત્ર બનાવીને ઈ-ટિકિટ કઢાવનારા એજન્ટ આરોપી પાસેથી લગભગ 2.59 કરોડ રૂપિયાની લાઈવ ઈ-ટિકિટ અને કુલ 7.97 કરોડ રૂપિયાની ઈ-ટિકિટ જપ્ત કરવામાં આવી છે, તેમાં અમદાવાદ ,રાજકોટ ભાવનગર સુરત વડોદરા સહિતના સ્ટેશનોથી લાંબા અંતરની ત્રણ ટિકિટ ખરીદનારા અનેક ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમને નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે.