ઈરાનનાં મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદથી અમેરિકા અને ઈરાનની ખેંચતાણ વચ્ચે પાકિસ્તાને રવિવારે કહ્યું છે કે તે કોઈ પણ દેશને યુદ્ધ માટે પોતાની જમીનનો ઉપયોગ કરવની પરવાનગી નહીં આપે.
પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઉભુ થઈ શકે છે
પાકિસ્તાન શાંતિ સ્થાપિત કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે
અમેરિકાનાં વિદેશ મંત્રીએ પાક. આર્મી ચીફ જનરલ સાથે ફોન પર વાતચીત કરી
પાકિસ્તાન કોઈની પણ સાથે નથી
પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા આસિફ ગફુરે રવિવારે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 'ARY NEWS'સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા માટે સકારાત્મક ભૂમિકા ભજવશે અને કોઈની પણ વિરુદ્ધ પોતાની ધરતીનો ઉપયોગ કરવા નહીં દે.' મેજર આસિફ ગફુરે એમ પણ જણાવ્યું હતું કે, 'પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને પાક. આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનું પણ આ જ માનવું છે.' આર્મી પ્રવક્તાએ જણાવ્યું છે કે, 'પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાન કોઈની પણ સાથે નથી. તે ફક્ત શાંતિ અને શાંતિની સાથે જ છે.'
પાકિસ્તાન શાંતિ સ્થાપિત કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે
અમેરિકા દ્વારા ઈરાનનાં મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાને લઈ જ્યારે ગફુરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ક્ષેત્રીય સુરક્ષાની સ્થિતિ બદલાઈ ગઈ છે અને પાકિસ્તાન શાંતિ સ્થાપિત કરવા માટે પોતાની ભૂમિકા ભજવશે.'
અમેરિકાનાં વિદેશ મંત્રીએ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ સાથે ફોન પર વાતચીત કરી
શુક્રવારે બગદાદનાં હવાઈ અડ્ડા પર અમેરિકાની સ્ટ્રાઈકમાં ઈરાની જનરલ સુલેમાનીની હત્યા કરી દેવામાં આવી હતી. એ બાદ બન્ને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા પછી અમેરિકાનાં વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે ફોન પર વાતચીત કરી હતી. વાતચીતમાં બાજવાએ અધિકત્મ સંયમ અને સકારાત્મક ભૂમિકા ભજવવા પર ભાર આપ્યો હતો.
અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા બહું જરુરી છે
ફોન પર થયેલી વાતચીતને લઈને ગફુરે જણાવ્યું કે, 'બાજવાએ પોમ્પિયોને બે વાતો કરી પહેલીએ કે આ વિસ્તાર ખરાબ પરિસ્થિતિઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા બહું જરુરી છે. તેમણે કહ્યું કે, 'પાકિસ્તાન તેમાં પોતાની ભૂમિકા ભજવવા માંગે છે અને તમામ ધ્યાન તેનાં પર જ કેન્દ્રીત કરવાં માંગે છે. 'બીજી વાત, આર્મી ચીફે પોમ્પિયોથી કહ્યું કે, 'આ વિસ્તારમાં તણાવ ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ અને તમામ દેશોએ વાતચીત તથા રાજનૈતિક દ્રષ્ટિતોણથી આગળ વધવું જોઈએ.'
પાકિસ્તાને શાંતિ માટે અપીલ કરી
આર્મી ચીફને ક્વોટ કરતાં ગફુરને કહ્યું કે, 'પાકિસ્તાન શાંતિ માટે કરવામાં આવતાં તમામ પ્રયાસોને સમર્થન આપશે અને આશા રાખીએ છીએ કે દુનિયા ફરી ક્યારેય યુદ્ધ તરફ આગળનાં વધે.
શું ઈરાનની વિરુદ્ધ પાકિસ્તાન અમેરિકાનો સાથે આપશે? આ સવાલનાં જવાબમાં ગફુરે કહ્યું કે આવી અફવાઓ સોશિલ મીડિયા પર ફેલાવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર એ વાતને લઈને ચર્ચા શરુ થઈ છે કે અમેરિકાનાં વિદેશ મંત્રીએ ઈમરાન ખાનની જગ્યાએ આર્મી ચીફને ફોન કેમ કર્યો? આ ચર્ચાને લઈને ગફુરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પોમ્પિયો અને જનરલ બાજવાની વચ્ચે આ પહેલી વાર વાતચીત નથી થઈ. ' ગફરે એમ પણ કહ્યું હતું કે, અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયાને લઈને ક્ષેત્રીય સુરક્ષામાં આર્મી ચીફ બાજવાની મહત્વની ભૂમિકા છે અને વિદેશ મંત્રાલય પહેલાં જ નિવેદન આપી ચુક્યું છે.'
પાકિસ્તાને લોકોને કરી આ અપીલ
ગફરે કહ્યું, મારી લોકોને અપીલ છે કે, 'લોકો અને મીડિયા ફક્ત અધિકારીક સ્ત્રોતો પાસેથી મળતી માહિતી પર જ ધ્યાન આપો અને કોઈ પણ પ્રકારનાં પ્રોપેગેંડા અને દુશ્મન દેશો દ્વારા ફેલાવામાં આવી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે.'
પાકિસ્તાને કર્યું આ નિવેદન કે પેટ પકડીને હસશો
પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલય સુલેમાનીની હત્યા પછી નિવેદન જાહેર કરી તમામ પક્ષોને સંયમ જાળવવા અપીલ કરી હતી. તેમજ મધ્ય- પૂર્વમાં હાલમાં બનેલી ઘટનાક્રમને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને નિવેદનમાં કહ્યું છે કે તમામ દેશોની સ્વતંત્રતા અને ક્ષેત્રીય એક્તાને લઈને સમ્માન યુએનનાં મૂળ સિદ્ધાંતોમાંથી એક છે. જેનું પાલન કરવું જોઈએ. એ બહું જરુરી છે કે કોઈ પણ પ્રકારનાં બળ પ્રયોગ અને એક તરફી કાર્યવાહીથી દુર રહેવું જોઈએ. પાકિસ્તાને કહ્યું કે યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આ મુદ્દાઓને કુટનીતિક રીતે ઉકેલવા જોઈએ.
પાકિસ્તાન વિદેશ નીતીની સમીક્ષા કરે
સંસદનાં સત્રમાં વિપક્ષે માંગણી કરી કે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી ઉચ્ચ સદનમાં આવી સાંસદોને મધ્ય-પૂર્વમાં તણાવભરી સ્થિતિ પર પાકિસ્તાનનો પક્ષ સ્પષ્ટ કરે. પાકિસ્તાનનાં પૂર્વ સાંસદ રઝા રબ્બાનીએ કહ્યું કે અમેરિકાએ સુલેમાનીની હત્યા કરી ક્ષેત્રમાં એક નવો તણાવ ઉભો કર્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકા-ઈરાનનાં ખરાબ થઈ રહેલાં સંબંધોને પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા પર પણ ગંભીર અસર થશે. વિદેશ મંત્રીએ સદનને જણાવવું જોઈએ કે આ મુદ્દા પર પાકિસ્તાનનું વલણ શું છે અને તે કોની પડખે ઉભુ રહેશે.'
હિંસાગ્રસ્ત વિસ્તારમાં યુધ્ધને પ્રોત્સાહન આપવું કોઈનાં પણ હિતમાં નથી
પાકિસ્તાનનાં માનવાધિકાર મંત્રી શિરીન મઝારીએ સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે તે મધ્ય- પૂર્વમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે સુલેમાનીની હત્યાથી આ વિસ્તારમાં ગંભીર તણાવ ઉભો થયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 'પહેલાથી હિંસાગ્રસ્ત વિસ્તારમાં યુધ્ધને પ્રોત્સાહન આપવું કોઈનાં પણ હિતમાં નથી.'
પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઉભુ થઈ શકે છે
પાકિસ્તાની સાંસદે કહ્યું કે, 'અમેરિકા અને ઈરાનની વચ્ચે વધતા તણાવનાં કારણે પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઉભુ થઈ શકે છે કેમ કે, તેમનો દેશ સંપૂર્ણ રીતે તેની આયાત પર નભે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આજે ઈરાક પર હુમલો થયો છે, કાલે પાકિસ્તાન પર થઈ શકે છે.' તેમણે સવાલ પુછ્યો હતો કે, 'આવી કોઈ ખરાબ સ્થિતિ સામે આવે છે તો સરકારે આના માટે શું તૈયારીઓ કરી રાખી છે?'
ભારત જ આવી અફવા ફેંલાવે છે
એક વાર ફરી પાકિસ્તાને ભારત પર દોષનો ટોપલો ઢોળતા કહ્યું હતું કે, 'ભારત જ આવી અફવા ફેંલાવે છે.' કહેતાં ગફુરે કહ્યું કે, તેમણે ભારતીય ન્યૂઝ પેપરનો એક લેખ વાંચ્યો હતો. જેમાં લખ્યું હતું કે પાકિસ્તાને ઈરાનને દગો દીધો છે. જેમાં અમેરિકન સૈન્ય અભ્યાસ અને શૈક્ષણિક કાર્યક્રમમાં પણ પાકિસ્તાનની ભાગીદારીને લઈ અનુમાન લગાવવામાં આવ્યું હતું.' ગફુરે કહ્યું હતું કે અમેરિકાની સાથે આપણા દ્વિપક્ષીય સંબંધોનાં પ્રશિક્ષણને લઈને સહયોગ પહેલાંથી જ રદ છે. છેલ્લાં 4-5 મહિનામાં અમેરિકન સૈન્ય સહયોગ વધારવા માટે ટ્રેનિંગ ફરી શરુ કરવાની વાત કરી રહ્યું છે. કેટલાય મહિનાથી ચાલી રહેલા ઘટનાક્રમને ઈરાન સાથે જોડીને જોવું એ પણ પ્રોપેગેંડા કેંપેનનો જ ભાગ છે.'
પાક.નું હાસ્યાસ્પદ નિવેદન
આર્મી પ્રવક્તાએ કહ્યું કે, 'પાકિસ્તાને ઘણું બધું બલિદાન આપીને શાંતિ મેળવી છે અને હવે તે કોઈ પણ ભોગે તેને દાવ પર લગાવવા નથી માંગતા.' ગફુરે એમ પણ કહ્યું કે 'પાકિસ્તાન આ શાંતિને હણવાનાં કોઈ પણ પ્રયાસનો ભાગ ક્યારેય નહીં બને.'