ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરમાણુ શક્તિ ન બનવા દેવાના નિવેદન પર ઈરાને ફરી પલટવાર કર્યો છે. ઈરાને એયરોસ્પેસ પ્રોગ્રામનું નેતૃત્વ કરનારા બ્રિગેડિયર જનરલ આમિર અલી હજિજાદેહે કહ્યું કે ઈરાને સેંકડો મિસાઈલો તૈયાર કરી લીધી હતી.
ઈરાનના મિસાઇલ હુમલામાં કોઇ અમેરિકન સૈનિકઃ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે
ઈરાને સેંકડો મિસાઈલો તૈયાર કરી લીધી હતીઃ આમિર અલી
તેમણે કહ્યું કે, બુધવારે ઈરાનની સેનાએ ઇરાકમાં અમેરિકન સેના કેમ્પો પર 13 મિસાઇલોથી હુમલો કર્યો હતો. અમે સેંકડો મિસાઇલો છોડવા તૈયાર હતા. ઈરાનના મિસાઇલ હુમલામાં કેટલાક અમેરિકાન સૈનિકો માર્યા ગયા અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. જોકે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મિસાઇલ હુમલામાં કોઇ અમેરિકન સૈનિક માર્યા જવાના દાવાને ફગાવ્યો હતો.
ઈરાની જનરલ આમિર અલી હાજિજાદેહે કહ્યું કે ઈરાની સેનાએ મિસાઇલ હુમલો કરનારા સાથે જ અમેરિકન સેનાની દેખરેખ સેવા પર પણ સાયબર હુમલો કર્યો.
ઈરાકના બગદાદમાં ફરી મિસાઈલથી હુમલો
મળતી માહિતી અનુસાર, ઈરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોનમાં બે રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બગદાદનો ગ્રીન ઝોન વિસ્તાર છે. જ્યાં સરકારી એજન્સીઓ અને તમામ દેશના દૂતાવાસ છે. આ હુમલામાં જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. ઈરાને ફાયર કરેલી મિસાઈલ અમેરિકી દૂતાવાસથી 100 મીટર દૂર પડી હતી.
હવે ઈરાનનું નરમ વલણ
બીજી તરફ ઈરાનને શાંતિનો સંદેશ પણ આપ્યો હતો. ઈરાને અમેરિકી આર્મી બેઝ પર કરેલા હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સખ્તી ન બતાવતા કહ્યું હતું કે અમે હુમલો કરવા નથી ઈચ્છતા અને ન કોઈ હુમલો કરવા માગીએ છીએ. ત્યારે હવે ઈરાનને પણ નરમ વલણ દાખવ્યું છે. પોતાની સેનાને અમેરિકી આર્મી બેઝ પર હુમલો ન કરવા માટે આદેશ આપ્યો છે. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાને આ આદેશ આપ્યો છે. જેથી બન્ને દેશ વચ્ચે તણાવ સમયે આ નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.