અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ નવો નથી. આ દાયકા જુનો છે.૩ જાન્યુઆરી ૨૦૨૦ એટલે કે આજે થયેલી અમેરિકી સ્ટ્રાઇક બાદ ઈરાકી મલેશિયા એ કહ્યું કે આ એર સ્ટ્રાઈકમાં ઈલાઈટ ફૂડસ ફોર્સના હેડ મેજર જનરલ કાસીમ સુલેમાની, ઈરાકી મલેશિયા કમાન્ડર અબુ મહીદ અલ-મુહાંડીસ સહીત ૭ લોકોની મૃત્યુ થઇ ચુકી છે. આ પછી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.
ફારસની ખાડીમાં ગંભીર પરિમાણ જોવા મળશે
આ પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે જયારે જયારે તણાવ વધ્યો છે ત્યારે ફારસની ખાડી પર તેના ગંભીર પરિણામ જોવા મળ્યા છે. જેના લીધે આખી દુનિયા પર તેની અસર જોવા મળે છે. ઈરાન તુરંત આ ચેતવણી આપી શકે છે. જો અમેરિકાથી સૈન્ય તણાવ વધશે તો દુનિયાની સૌથી મહત્વપૂર્ણ તેલ ધમની કેહવાતું હોર્મુજ જલડમરૂમધ્યને બંધ કરી દેશે.
હોર્મુજ બંધ થયું તો દુનિયામાં થશે હાહાકાર
ઈરાન હોર્મુજ જલડમરૂમધ્ય પર એટલા માટે દાદાગીરી કરી શકે છે કારણકે તે આખી દુનિયાના તેલ વ્યાપાર પર અસર કરે છે. જો તેને તે બંધ કરી દેશે તો આખી દુનિયામાં તેલ માટે હાહાકાર મચી જાય.
6 દેશો આ રસ્તાથી જ તેલની નિકાસ કરે છે
આવું એટલા માટે કેહવામાં આવે છે કેમ કે સાઉદી અરબ, ઈરાક, UAE, કુવૈત, કતાર અને ઈરાનના વધુ પડતા નિકાસ આ જ હોર્મુજ જલડમરૂમધ્ય દ્વારા થાય છે.
રોજ થાય છે ૧૫ મિલિયન બેરલ્સની સપ્લાય
અહીંથી રોજ લગભગ ૧૫ મિલિયન બેરલ્સ તેલની સપ્લાય થાય છે. જો આ બંધ થશે તો US અને UK સહિત કેટલાય દેશોમાં તેલની અછત ઉભી થશે અને તેલના ભાવ વધશે. આ સાથે જ ખાડીના દેશોમાં સ્થિતિ બગડશે અને સંઘર્ષની સ્થિતિ ઊભી થશે.
જો માહોલ બગડ્યો તો યુદ્ધની આશંકા
અમેરિકા અને ઈરાનની હાલની સ્થિતિ જોતા બંને વચ્ચે ખાડી યુદ્ધ થઇ શકે છે. જો આવું થાય તો ભારત અને ચીન માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે.
કેમકે ચીન અને ભારત માટે ઉર્જા સુરક્ષાને લઈને વધુ એક પડકાર સર્જી શકે છે.
૮૦ ના દાયકામાં થઇ હતી ટેન્કર વોર
૧૯૮૦-૧૯૮૮માં ઈરાન-ઈરાક યુદ્ધના સમયે બંને દેશો એક-બીજાના તેલ એક્ષ્પોર્ટને નિશાનો બનાવ્યો હતો. જેને મીડિયાએ ટેન્કર વોર નામ આપ્યું હતું. તે સમયે પણ હોર્મુજ જલડમરૂમધ્યથી તેલ વ્યાપાર ઘણો પ્રભાવિત થયો હતો.
ત્યારે અમેરિકાએ જંગી જહાજો ખાડીમાં ઉતાર્યા હતા
આ પછી અમેરિકાએ બેહરીનમાં US ફિફ્થ ફ્લીટને વ્યાપારી જહાજોની સુરક્ષા માટે ફરસની ખાડીમાં ઉતાર્યા હતા. US ફિફ્થ ફ્લીટની જવાબદારી હતી કે તે હોર્મુજમાં તેલ વ્યાપારને વ્યવસ્થિત રીતે ચલાવવો.
ઈરાને પરમાણું પ્રોગ્રામને શરૂ કરીને બંધ કર્યો હતો
અમેરિકાની દાખલગીરી પછી ઈરાને ન્યુક્લીઅર પ્રોગ્રામ શરૂ કરવાનો પ્રત્યન કર્યો. પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે અમેરિકાએ તેને સફળ ના થવા દીધો. પછી ૨૦૧૫માં અમેરિકાએ ઈરાન સાથે કરેલા પરમાણું કરારમાં પોતાને અલગ કરી દીધું.
પરમાણું સંધિમાં ઈરાન પર પ્રતિબંધ
આ પરમાણું કરાર ૨૦૧૫માં ઈરાન અને ૬ વૈશ્વિક શક્તિઓ સાથે થયો હતો. આ વૈશ્વિક શક્તિઓમાં અમેરિકા,બ્રિટેન,ચીન,ફ્રાન્સ,જર્મની,રુસ અને ઈરાન હતા. આ પરમાણું કરાર મુજબ ઈરાન પર પરમાણું કાર્યક્રમ બંધ કરીને પ્રતિબંધ હટાવવાની વાત થઇ હતી.