ઈરાનમાં અફવા ફેલાઈ હતી કે આલ્કોહોલ પીવાથી કોરોના સંક્રમણની સારવાર થઈ જાય છે. એ બાદ સેંકડો બાળકો સહિત હજારો લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પી લીધો હતો. ઈરાન સરકારે સોમવારે જણાવ્યુ હતુ કે આ ઘટનામાં 728ના મોત થાય છે. જોકે એ બાદ ઈરાન સરકારે કબુલ્યુ હતુ કે લોકોએ કોરોનાથી બચવા મેથેનોલ પીધો છે. જેના કારણે 5 હજારના મોત થયા છે. જ્યારે 90 લોકોની દ્રષ્ટિ જતી રહી છે. ઉલ્લેખનીય છે આ આંક કોરોનાથી અહીં મરનારા આંક જેટલો છે.
ઈરાન સરકારે હવે કબૂલ્યુ હતુ હે એક અફવાને કાણે હજારો લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પી લીધો હતો. જેથી તેમનું મોત નિપજ્યુ હતુ. સોશિયલ મીડિયાના માધ્યમથી ગત દિવસોમાં ઈરાનમાં અફવા ફેલાયી હતી કે આલ્કોહોલ પીવાથી કોરોના સંક્રમણની સારવાર થઈ શકે છે.જેથી બાળકો સહિત સેંકડો લોકોએ ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીધો હતો. ઈરાનની સરકારે સોમવારે જણાવ્યુ કે આ ઘટનામાં 728 લોકોના મોત નિપજ્યા હતા.
ઈરાનમાં મોતનો હિસાબ રાખનાર ઓફિસે સોમવારે જણાવ્યુ હતું કે ઈન્ડસ્ટ્રીય આલ્કોહોલ પીવાની ઘટનાથી ન ફક્ત 728 લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ બાળકો સહિત સેંકડો લોકોની આંખની રોશની જતી રહી હતી.
5 હજાર લોકોએ મેથેનોલ પીધો
ઈરાન સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા કિયાનૌશ જહાંપોરે જણાવ્યું કે લગભગ 5011 લોકોએ આ અફવાને કારણે ઈન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ પીધો હતો. કેટલાક માતા પિતાએ બાળકોને પણ પીવડાવ્યો હતો. આમાં 90 લોકોની દ્રષ્ટિ જતી રહી હતી. આ તમામ લોકોએ અફવા બાદ આલ્કોહોલ શોધવાનુ શરુ કર્યુ હતુ. જોકે ન મળતા મેથેનોલ પી લીધુ હતુ. પ્રવક્તાના જણાવ્યાનુંસાર બની શકે કે ડરના કારણે અનેક લોકો સામે નથી આવ્યા. જેથી આંધળા થનારની સંખ્યા વધારે હોઈ શકે છે.
દારુ જેવી જ ગંધ વાળો હોય છે મેથેનોલ
મેથેનોલની ગંધ અને સ્વાદ દારુ જેવો જ હોય છે. જોકે માણસના દિમાગને નુકશાન પહોંચાડે છે. ઈરાનમાં પણ કોરોનાનો કહેર છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5,806 લોકોના મોત થયા છે અને 91,472 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.