જમ્મુ-કશ્મીરનું બે કેન્દ્રશાસીત પ્રદેશોમાં વિભાજન બાદ જમ્મુ-કશ્મીર અને લદાખના ઉપરાજ્યપાલના નામોને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કશ્મીરના ઉપરાજ્યપાલ પદે IPS વિજય કુમાર અને IPS દિનેશ્વર શર્માના નામો ચર્ચામાં છે. જેમાં વિજય કુમાર BSFના આઇજી તરીકે કશ્મીરમાં સેવા આપી ચુક્યા છે તો દિનેશ્વર શર્મા ઇન્ટેલીજન્સ બ્યુરોના નિર્દેશક રહી ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કુખ્યાત ચંદનચોરને ઠાર મારનાર પૂર્વ IPS અધિકારી વિજય કુમારનું નામ હાલ ફરી એક વખત ચર્ચામાં છે. વિજય કુમાર તમિલનાડુ કેડરના 1975ની બેચના IPS અધિકારી છે. હાલ તેઓ જમ્મુ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર છે. વીરપ્પન વર્ષો સુધી જ્યારે તમિલનાડુ અને કર્ણાટકની સરકાર માટે માથાના દુખાવા રૂપ બન્યો હતો અને કરોડોનો ખર્ચ કરવા છતાં પરિણામ મળતું ન હતું.
ઉલ્લેખનીય છે કે, કેટલાય ફોરેસ્ટ અને પોલીસના અધિકારીઓની વિરપ્પને કરપીણ હત્યા કરી નાખી હતી. સમગ્ર વિસ્તારમાં વીરપ્પનના નામનો ખૌફ હતો અને લોકો તેમનું નામ લેતા પણ ગભરાતા હતા. IPS અધિકારી વિજય કુમારે વીરપ્પનને ઠાર મારીને આ ખૌફને હંમેશા માટે ખતમ કરી દીધો હતો. વિજય કુમાર તમિલનાડુ કેડરના 1975ની બેચના IPS અધિકારી છે. 1998-2001 દરમ્યાન તેઓ કશ્મીર ખીણમાં BSFના ઇન્સપેક્ટર જનરલ હતા.
આ સમય દરમ્યાન BSF આતંકવાદીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી. 65 વર્ષના વિજય કુમારે સમયે સૌથી વધુ ચર્ચામાં રહ્યા જ્યારે તેઓ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ એટલે કે STFમાં ફરજ બજાવતા હતા. 2004માં તેઓએ ચંદનચોર વીરપ્પનનો ખાત્મો બોલાવ્યો હતો.
બાદમાં 2010માં જ્યારે નકસલવાદીઓએ દંતેવાડામાં CRPFના 75 જવાનોની હત્યા કરી ત્યારે નકસલીઓ પર લગામ કસવા માટે વિજય કુમારને CRPFના ડાયરેકટર જનરલ બનાવવામાં આવ્યા હતા. હાલ હવે તેમને જમ્મૂ કશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવાની વાત ચાલી રહી છે. જેને લઈને અનેક સવાલો સામે આવી રહ્યા છે.